AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામચરિત માનસ પરની ટિપ્પણી પર ભડકી ઉઠેલા સંતે કરી જાહેરાત, મંત્રીની જીભ કાપી લાવો અને 10 કરોડ રૂપિયા લઈ જાવ

બિહારના શિક્ષણ ચંદ્રશેખરે રામચરિતમાનસને નફરતનું પુસ્તક ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે મનુ સ્મૃતિ, રામચરિતમાનસ અને પૂર્વ આરએસએસ વડા એમએસ ગોલવલકરના વિચારો સમાજમાં નફરત ફેલાવવાનું કામ કરે છે

રામચરિત માનસ પરની ટિપ્પણી પર ભડકી ઉઠેલા સંતે કરી જાહેરાત, મંત્રીની જીભ કાપી લાવો અને 10 કરોડ રૂપિયા લઈ જાવ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2023 | 11:55 AM
Share

બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે રામચરિતમાનસને લઈને કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને વિવાદ સર્જાયો છે. આ અંગે અયોધ્યાના સંત જગદગુરુ પરમહંસ આચાર્યની પ્રતિક્રિયા સામે આવી છે. પરમહંસ આચાર્યએ કહ્યું છે કે મંત્રીને પદ પરથી બરતરફ કરવામાં આવે. આ સાથે ચંદ્રશેખરને આ રીતના વિવાદાસ્પદ નિવેદન માટે માફી માંગવા માટે કહેવામાં આવ્યું છે.

પરમહંસ આચાર્યએ કહ્યું કે માફી નહી માગવાને લઈ જે કોઈ ચંદ્રશેખરની જીભ કાપીને લાવશે તેને 10 કરોડનું ઈનામ આપવામાં આવશે. બિહારના શિક્ષણ ચંદ્રશેખરે રામચરિતમાનસને નફરતનું પુસ્તક ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે મનુ સ્મૃતિ, રામચરિતમાનસ અને પૂર્વ આરએસએસ વડા એમએસ ગોલવલકરના વિચારો સમાજમાં નફરત ફેલાવવાનું કામ કરે છે. નાલંદા ઓપન યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લેતી વખતે તેમણે આ નિવેદન આપ્યું છે.

ત્રણેય પુસ્તકો સમાજમાં નફરત ફેલાવે છે

યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ભાગ લેનાર ચંદ્રશેખરે કહ્યું કે ત્રણેય પુસ્તકોએ સમાજમાં નફરત ફેલાવી છે. રામચરિતમાનસની ટીકા કરતા આરજેડી નેતાએ કહ્યું કે આ પુસ્તક નીચલી જાતિના લોકોને શિક્ષણથી વંચિત રાખવાની વાત કરે છે. તેમણે કહ્યું કે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે પણ દાવો કર્યો હતો કે ત્રણેય પુસ્તકો સમાજમાં નફરત ફેલાવે છે.

‘જ્ઞાતિઓને શિક્ષણનો અધિકાર નથી’

કાર્યક્રમમાં બોલતા મંત્રીએ કહ્યું કે, મનુસ્મૃતિએ સમાજના 85 ટકા લોકોનો દુરુપયોગ કર્યું છે. રામચરિતમાનસમાં કહેવામાં આવ્યું છે કે નીચલી જાતિઓને શિક્ષણનો અધિકાર નથી. કહેવાય છે કે નીચલી જાતિના લોકો શિક્ષણ મેળવીને સાપ જેવા ઝેરીલા બની જાય છે. જેમ કે સાપ દૂધ પીધા પછી વધુ ઝેરી બની જાય છે.

યાદવના મતે બાબાસાહેબ ભીમ રાવ આંબેડકરે કહ્યું કે આ પુસ્તકો સમાજમાં નફરત ફેલાવે છે. મનુ સ્મૃતિએ પ્રથમ યુગમાં નફરત ફેલાવી, બીજા યુગમાં રામચરિતમાનસ અને ગોલવલકરના વિચારોના સમૂહે ત્રીજા યુગમાં નફરત ફેલાવી. તે જ સમયે, બીજેપી નેતા શહજાદ પૂનાવાલાએ આ મામલે શિક્ષણ મંત્રી પર આકરા પ્રહારો કર્યા છે. પૂનાવાલાએ સત્તારૂઢ આરજેડી પર પીએફઆઈ, સિમીની તરફેણ કરવાનો અને મત માટે હિંદુ આસ્થાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. (ભાષા ઇનપુટ સાથે)

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">