હવે હિંદ મહાસાગરમાં ચીનનું વર્ચસ્વ નહીં ચાલે. દરિયામાં ભારતની તાકાત વધી છે. કલવરી વર્ગની પાંચમી સબમરીન INS વાગીરને આજે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી, જેનાથી ભારતની નેવીની તાકાતમાં વધારો થયો છે. INS વાગીરનું નિર્માણ Mazagon Dock Shipbuilders Limited (MDL) દ્વારા ફ્રાન્સના મેસર્સ નેવલ ગ્રુપ સાથે મળીને કરવામાં આવ્યું છે. નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારની હાજરીમાં તેને નેવીમાં સામેલ કરવામાં આવી હતી.
ભારતીય નૌકાદળના મુજબ સબમરીન દુશ્મનને રોકવાની ભારતીય નૌકાદળની ક્ષમતામાં વધારો કરીને ભારતના દરિયાઈ રક્ષણમાં વધારો કરશે. તે કટોકટીના સમયમાં નિર્ણાયક સાબીત થઈ શકે છે, ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ અને રિકોનિસન્સ (ISR) ઓપરેશન ચલાવવામાં પણ મદદરૂપ સાબિત થશે. વાગીરનો અર્થ થાય છે રેતીની શાર્ક, જે તત્પરતા અને નિર્ભયતાની ભાવના દર્શાવે છે.
Indian Navy to commission the fifth Kalvari class submarine Vagir today.
Vagir will boost @indiannavy capability, as it is capable of undertaking diverse missions including anti-surface warfare, anti-submarine warfare, int gathering, mine laying & surveillance missions. pic.twitter.com/FHHr7WUyV7
— PRO Nagpur, Ministry of Defence (@PRODefNgp) January 23, 2023
નેવીએ જણાવ્યું કે, INS વાગીર વિશ્વના કેટલાક શ્રેષ્ઠ સેન્સર અને શસ્ત્રોથી સજ્જ છે, જેમાં વાયર-ગાઇડેડ ટોર્પિડો અને સપાટીથી સપાટી પરની મિસાઇલોનો સમાવેશ થાય છે, જે દુશ્મનના દાત ખાટા કરી શકે છે.
નેવીના જણાવ્યા અનુસાર સબમરીનમાં મરીન કમાન્ડોને સ્પેશિયલ ઓપરેશન માટે પાણીમાં ઉતારવાની ક્ષમતા છે, જ્યારે તેનું શક્તિશાળી ડીઝલ એન્જિન બેટરીને ખૂબ જ ઝડપથી ચાર્જ કરી શકે છે. સ્વરક્ષણ માટે તેમાં અત્યાધુનિક ટોર્પિડો ડીકોય સિસ્ટમ લગાવવામાં આવી છે. હિંદ મહાસાગરમાં ચીની નૌકાદળની વધતી હાજરી વચ્ચે INS વાગીરને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે.
Published On - 3:14 pm, Mon, 23 January 23