ઈન્ડિગો ફ્લાઈટના એન્જિનમાં આગ, દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, મુસાફરો સુરક્ષિત
ફ્લાઈટ ટેકઓફ થઈ ગઈ હતી પરંતુ પાંખમાંથી સ્પાર્ક નીકળતાં તરત જ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing)કરવું પડ્યું હતું. ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 6E 2131ની જમણી પાંખમાં પણ જ્વાળાઓ જોઈ શકાય છે.
ઈન્ડિગોની એક ફ્લાઈટનું દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ફ્લાઈટ દિલ્હીથી બેંગ્લોર જઈ રહી હતી ત્યારે ફ્લાઈટની જમણી પાંખમાંથી સ્પાર્ક નીકળવા લાગ્યો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે ફ્લાઈટે ટેકઓફ કર્યું હતું પરંતુ પાંખમાંથી તણખા નીકળતાં તરત જ તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 6E 2131ની જમણી પાંખમાં પણ જ્વાળાઓ જોઈ શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં 177 મુસાફરો સવાર હતા.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ફ્લાઈટ રનવે પર લેન્ડ થઈ રહી છે અને પાંખમાંથી જોરદાર સ્પાર્ક નીકળી રહ્યો છે. આ ઘટનાની જાણકારી મળતાં જ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. બાદમાં મુસાફરોને ફ્લાઈટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકા કુમાર નામના એક યાત્રીએ ટ્વિટર પર આ ઘટનાનો વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં એન્જિનમાં આગ લાગી હતી અને તણખા નીકળતા જોવા મળ્યા હતા.
પેસેન્જર અને પાયલોટ સુરક્ષિત
ઈન્ડિગો એરલાઈન્સે આ ઘટના અંગે નિવેદન જાહેર કર્યું છે. ઈન્ડિગોએ જણાવ્યું હતું કે દિલ્હીથી બેંગ્લોર જતી ફ્લાઈટ 6E2131માં ટેક-ઓફ રોલ દરમિયાન ટેકનિકલ સમસ્યા આવી હતી, જેના પછી તરત જ પાઈલટે ટેક-ઓફ અટકાવી દીધું હતું અને પ્લેન લેન્ડ થઈ ગયું હતું. ઈન્ડિગોએ કહ્યું કે તમામ મુસાફરો અને પાઈલટ સુરક્ષિત છે અને ફ્લાઈટ ચલાવવા માટે વૈકલ્પિક એરક્રાફ્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. “યાત્રીઓને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.”
Fire On Bengaluru-Bound #IndiGo Flight, Aircraft Grounded In #Delhi pic.twitter.com/iGV8eSjfFF
— M. Nuruddin (@nuristan97) October 28, 2022
સ્પાઈસજેટ અને ઈન્ડિગો ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીના બનાવો તાજેતરના મહિનાઓમાં વધુ બન્યા છે. તાજેતરમાં, તકનીકી ખામીને કારણે, આવી ઘણી ફ્લાઇટ્સનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, જે પહેલાથી જ ડીજીસીએની તપાસના દાયરામાં છે. જુલાઈમાં જ ડીજીસીએએ સ્પાઈસ જેટ પાસેથી આવી ઘટનાઓ અંગે સ્પષ્ટતા પણ માંગી હતી.
વિમાનમાં 177 મુસાફરો અને 7 પાયલટ સવાર હતા
આજે 22.08 કલાકે, IGIA કંટ્રોલ રૂમને CISF કંટ્રોલ રૂમમાંથી દિલ્હીથી બેંગ્લોર જતી ફ્લાઇટ નંબર 6E 2131ના એન્જિનમાં આગની સમસ્યા અંગે કોલ આવ્યો હતો. પ્લેનમાં 177 પેસેન્જર્સ હતા અને 7 પાઈલટનું એક ગ્રુપ હતું, જેમની સાથે પ્લેન બેંગ્લોર જઈ રહ્યું હતું. IGI એરપોર્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ, ફ્લાઇટને ટેક-ઓફથી અટકાવવામાં આવી હતી અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.