ભારતનો અન્નનો સ્ટોક માત્ર સ્થાનિક રીતે જ નહીં અન્ય દેશોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સક્ષમ: નરેન્દ્ર સિંહ તોમર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર દેશમાં કૃષિ ક્ષેત્રે નવી કાર્યશૈલીનો વિકાસ થયો છે. જેના કારણે ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભારતનો અન્નનો સ્ટોક માત્ર સ્થાનિક રીતે જ નહીં અન્ય દેશોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સક્ષમ: નરેન્દ્ર સિંહ તોમર
Union Agriculture Minister Narendra Singh Tomar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 6:55 PM

કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar)ની અધ્યક્ષતામાં સંકલિત બાગાયત વિકાસ મિશન (MIDH)ની જનરલ કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં તોમરે કહ્યું હતું કે દેશમાં ખાદ્ય અને બાગાયત (Horticulture) ક્ષેત્રે જે પ્રગતિ થઈ છે તે પ્રશંસનીય છે, પરંતુ સાથે સાથે હાલના સંજોગોને જોતા આ ક્ષેત્રોમાં ઝડપી વિકાસ માટે ટુંક સમયમાં છલાંગ લગાવવાની જરૂર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ના આહ્વાન પર દેશમાં કૃષિ ક્ષેત્રે નવી કાર્યશૈલીનો વિકાસ થયો છે. જેના કારણે ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આપણો ખાદ્યાન્નનો ભંડાર એટલો સમૃદ્ધ છે કે સ્થાનિક જરૂરિયાતો પૂરી કરવા સાથે તે વિશ્વને પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કોરોના રોગચાળા દરમિયાન સરકારે 80 કરોડ લોકોને 19 મહિના સુધી મફત અનાજ આપ્યું છે. આ દેશ અને કૃષિ ક્ષેત્રની મોટી તાકાત દર્શાવે છે. તોમરે કહ્યું કે આપણા દેશમાં કૃષિ ક્ષેત્ર મહત્વપૂર્ણ છે, જેણે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ તેની પ્રાસંગિકતા સાબિત કરી છે.

સરકારની ખેડૂતલક્ષી નીતિઓ, ખેડૂતોની અથાક મહેનત અને વૈજ્ઞાનિકોના કાર્યક્ષમ સંશોધનને કારણે કૃષિ ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે. આ વિકાસ વધુ આગળ વધે અને નિકાસ અને રોજગાર વધવો જોઈએ, આ બાગાયત ક્ષેત્રની મોટી જવાબદારી છે.

ઔષધીય પાકોની ખેતીને પ્રોત્સાહન આપવા પર ભાર

તોમરે ઔષધીય પાકોની ખેતીને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો અને કહ્યું કે આ માટે જાગૃતિ લાવવી જોઈએ. વિસ્તારોની ઓળખ કરવી જોઈએ અને ખેડૂતોને તાલીમ આપવી જોઈએ. તેનાથી તેમની આવકમાં નોંધપાત્ર વધારો થશે. એ જ રીતે, સજીવ ખેતીનું વિસ્તરણ પણ શક્ય છે, જેના માટે સરકાર તાલીમ વગેરેની વ્યવસ્થા કરી રહી છે. જેમાં સૌનો સહકાર જરૂરી છે. સરકાર દ્વારા 10 હજાર નવા FPO બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે, જેનાથી ખેડૂતોને ફાયદો થશે.

ભારતમાં બાગાયત

બાગાયતી પાકો (Horticultural crop)ના ઉત્પાદનમાં ભારત બીજા ક્રમે છે. જે વૈશ્વિક ફળ અને શાકભાજીના ઉત્પાદનના 12 ટકા જેટલું ઉત્પાદન કરે છે. વર્ષ 2019-20 દરમિયાન ભારતમાં 320.77 મિલિયન મેટ્રિક ટન બાગાયતી પાકોનું ઉત્પાદન થયું હતું. જે અત્યાર સુધીનો સૌથી વધુ છે. જ્યારે 2020-21 માટે બાગાયત ઉત્પાદન 329.86 મિલિયન મેટ્રિક ટન રહેવાનો અંદાજ છે, જે અગાઉના વર્ષ કરતાં પણ વધુ છે.

આ પણ વાંચો: IPL 2022: વિરાટ કોહલીના બદલે આ ખેલાડી બનશે RCBનો કેપ્ટન, માત્ર એક સિઝન માટે સોંપાઈ જવાબદારી!

આ પણ વાંચો: પ્રગતિશીલ ખેડૂત બંધુઓએ કર્યો કમાલ, રૂમમાં જ કેસરની ખેતીથી કરી લાખોની કમાણી

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">