AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારે રાષ્ટ્રીય સુરક્ષા વિશે જુઠ્ઠાણા ફેલાવતી પાકિસ્તાનની 4 યુટ્યુબ ચેનલો સહિત 22 ચેનલોને બ્લોક કરી

ભારત સરકારે (Indian Government) દેશની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિ અને જાહેર વ્યવસ્થા વિશે ભ્રામક માહિતી ફેલાવતી 22 યુટ્યુબ ચેનલોને બ્લોક કરી છે. આ કાર્યવાહી હેઠળ પાકિસ્તાનમાં ચાર યુટ્યુબ ચેનલોને પણ બ્લોક કરી દેવામાં આવી છે.

સરકારે રાષ્ટ્રીય સુરક્ષા વિશે જુઠ્ઠાણા ફેલાવતી પાકિસ્તાનની 4 યુટ્યુબ ચેનલો સહિત 22 ચેનલોને બ્લોક કરી
સરકારે રાષ્ટ્રીય સુરક્ષા વિશે જુઠ્ઠાણા ફેલાવતી પાકિસ્તાનની 4 યુટ્યુબ ચેનલો સહિત 22 ચેનલોને બ્લોક કરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 10:13 PM
Share

Indian Government : ભારત સરકારે(Indian Government) 22 યુટ્યુબ ચેનલો બ્લોક કરી છે (22 Youtube Channels Blocked). આઈટી નિયમો, 2021 હેઠળ, 18 ભારતીય યુટ્યુબ ન્યૂઝ ચેનલોને પ્રથમ વખત બ્લોક કરવામાં આવી છે. આ સિવાય પાકિસ્તાન(Pakistan)માં હાજર ચાર યુટ્યુબ ન્યૂઝ ચેનલોને પણ બ્લોક (Youtube Channels Blocked) કરી દેવામાં આવી છે. આ રીતે, કુલ મળીને, ભારત સરકારે 22 યુટ્યુબ (Youtube) ન્યૂઝ ચેનલો પર કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે કારણ કે, સૂચના અને પ્રસારણ મંત્રાલયનું કહેવું છે કે આ યુટ્યુબ ન્યૂઝ ચેનલો ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ સંબંધો અને જાહેર વ્યવસ્થા સાથે જોડાયેલ ભ્રામક માહિતી ફેલાવી રહી હતી.

યુટ્યુબ ચેનલોની કુલ વ્યુઅરશિપ 260 કરોડથી વધુ

આ યુટ્યુબ ચેનલો પર ટીવી ન્યૂઝ ચેનલોના લોકો અને દર્શકોને ખોટા થંબનેલ દ્વારા છેતરવાનો આરોપ છે. યુટ્યુબ ચેનલો ઉપરાંત ત્રણ ટ્વિટર એકાઉન્ટ, એક ફેસબુક એકાઉન્ટ અને એક ન્યૂઝ વેબસાઈટ પણ બ્લોક કરી દેવામાં આવી છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું છે કે આ ચેનલોને બ્લોક કરવા માટે આઈટી નિયમો, 2021નો ઉપયોગ કરવામાં આવ્યો છે.બ્લોક કરાયેલી યુટ્યુબ ચેનલોની કુલ વ્યુઅરશિપ 260 કરોડથી વધુ હતી. આ ચેનલો ભારતના વિદેશ સંબંધો અને જાહેર વ્યવસ્થા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર ફેલાવી રહી હતી. આ સિવાય રાષ્ટ્રીય સુરક્ષાને લઈને પણ ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા હતા.

પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ વધુ તીવ્ર બની છે. રવિવારે અહીં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા વડા પ્રધાન ખાનને હટાવવાના વિપક્ષના પ્રયાસને ઉપરાષ્ટ્રપતિ સૂરીએ ફગાવી દીધા પછી સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કર્યો હતો. વિપક્ષે ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને બંધારણનું ઉલ્લંઘન ગણાવ્યું અને કહ્યું કે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે. કોર્ટનો નિર્ણય રાષ્ટ્રપતિના નેશનલ એસેમ્બલીને ભંગ કરવાના આદેશની માન્યતા પણ નક્કી કરશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : મહારાષ્ટ્રથી શરૂ થયેલો લાઉડસ્પીકરનો વિવાદ કર્ણાટક સુધી પહોંચ્યો, શિવસેના સાંસદ સંજય રાઉતે BJP પર કર્યા આકરા પ્રહાર

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">