AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Political Turmoil: પાકિસ્તાનમાં ત્રણ મહિનામાં ચૂંટણી યોજવી મુશ્કેલ, ચૂંટણી પંચે જણાવ્યું કે કેટલો સમય લાગશે

Pakistan Political Crisis: પાકિસ્તાનમાં રાજકીય હોબાળો ચાલી રહ્યો છે. અહીં ચૂંટણી પંચે હવે કહ્યું છે કે ત્રણ મહિનામાં ચૂંટણી કરાવવી મુશ્કેલ છે.

Pakistan Political Turmoil: પાકિસ્તાનમાં ત્રણ મહિનામાં ચૂંટણી યોજવી મુશ્કેલ, ચૂંટણી પંચે જણાવ્યું કે કેટલો સમય લાગશે
Pakistan Political Turmoil
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 12:38 PM
Share

Pakistan Political Turmoil: પાકિસ્તાન(Pakistan)ના ચૂંટણી પંચે (Election Commission) વિવિધ કાયદાકીય અવરોધો અને પ્રક્રિયાગત પડકારોને ટાંકીને ત્રણ મહિનામાં સામાન્ય ચૂંટણીઓ કરાવવામાં અસમર્થતા દર્શાવી છે. કમિશનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે સામાન્ય ચૂંટણીની તૈયારીમાં લગભગ છ મહિનાનો સમય લાગશે. તેમણે કહ્યું કે મતવિસ્તારોનું નવું સીમાંકન, ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા(Khyber Pakhtunkhwa)માં, જ્યાં 26મા સુધારા હેઠળ સીટોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો, અને જિલ્લા અને મતવિસ્તારો અનુસાર મતદાર યાદીને અનુરૂપ બનાવવા એ મુખ્ય પડકારો છે.

પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ વધુ તીવ્ર બની છે. રવિવારે અહીં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા વડા પ્રધાન ખાનને હટાવવાના વિપક્ષના પ્રયાસને ઉપરાષ્ટ્રપતિ સૂરીએ ફગાવી દીધા પછી સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કર્યો હતો. વિપક્ષે ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને બંધારણનું ઉલ્લંઘન ગણાવ્યું અને કહ્યું કે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે. કોર્ટનો નિર્ણય રાષ્ટ્રપતિના નેશનલ એસેમ્બલીને ભંગ કરવાના આદેશની માન્યતા પણ નક્કી કરશે.

ઈમરાન ખાને ચૂંટણી કરાવવાની સલાહ આપી હતી

અવિશ્વાસની દરખાસ્ત ફગાવી દેવામાં આવ્યા બાદ વડાપ્રધાન ઈમરાન ખાને રાષ્ટ્રપતિને સંસદ ભંગ કરીને નવેસરથી ચૂંટણી કરાવવાની સલાહ આપી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે જો નિર્ણય ખાનની તરફેણમાં આવે છે, તો 90 દિવસમાં ચૂંટણી યોજવામાં આવશે. જો કે ચૂંટણી પંચે આ વાતને નકારી કાઢી છે. નિષ્ણાતોએ કહ્યું કે જો કોર્ટ ડેપ્યુટી સ્પીકર વિરુદ્ધ નિર્ણય કરશે તો સંસદનું સત્ર ફરીથી બોલાવવામાં આવશે અને ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે.

વડાપ્રધાન પર બંધારણના ભંગનો આરોપ

એક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના નેતા શાહબાઝ શરીફે વડાપ્રધાન ખાન પર બંધારણનું ઉલ્લંઘન કરવાનો અને દેશમાં માર્શલ લો લાદવાનો આરોપ લગાવ્યો હતો. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ મુખ્ય ન્યાયાધીશને નિર્ણય કરવા માટે પૂર્ણ અદાલતની બેન્ચની રચના કરવા વિનંતી કરી. તેમણે કહ્યું, “અવિશ્વાસ પ્રસ્તાવ વડાપ્રધાનને હટાવવાનો લોકશાહી માર્ગ છે અને અમે બંધારણની રક્ષા કરવાનું ચાલુ રાખીશું.”

આ પણ વાંચો-Pakistan: ઈમરાન ખાન પર દેશદ્રોહનો આરોપ, શું કહે છે બંધારણ અને કેટલો ગંભીર છે આ મુદ્દો?

આ પણ વાંચો-Pakistan: સંસદ ભંગ કરવા પર સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી, ચીફ જસ્ટિસે ઉપરાષ્ટ્રપતિના અધિકાર પર ઉઠાવ્યા સવાલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">