આર્મી ચીફ જનરલ મનોજ પાંડેને (Manoj Pande) 10 મેના રોજ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ (Ram Nath Kovind) દ્વારા પરમ વિશિષ્ટ સેવા મેડલથી (Param Vishisht Seva Medal) સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં છ શહીદોને સૈન્યમાં તેમની બહાદુરી માટે મરણોત્તર શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં મંગળવારે સાંજે છ શહીદ કેપ્ટન આશુતોષ કુમાર (18 મદ્રાસ), નાયબ સુબેદાર શ્રીજીથ એમ (17 મદ્રાસ), હવાલદાર અનિલ તોમર (44RR), પિંકુ કુમાર (34 RR), કાશીરાય બમ્માનલ્લી (44RR) અને સિપાહી જસવંત રેડ્ડીને (17 મદ્રાસ) મરણોત્તર શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યું છે.
મંગળવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. આ સમારોહમાં આર્મી, એરફોર્સ અને નેવીના બહાદુર જવાનોને વિવિધ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
LIVE: President Kovind presents Gallantry Awards at Defence Investiture Ceremony – 2022 Phase – I at Rashtrapati Bhavan https://t.co/7xngTrh547
— President of India (@rashtrapatibhvn) May 10, 2022
ભારતીય સેનાના એક શક્તિશાળી અને અનુભવી અધિકારી લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે ગયા મહિને દેશના 29મા ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે ચૂંટાયા હતા. તેઓ વરિષ્ઠતાના ક્રમમાં આ પદ માટે સૌથી યોગ્ય હતા. આમ છતાં તેમની નિમણૂકને એક અલગ ઘટના માનવામાં આવી રહી છે. આ પહેલીવાર છે જ્યારે આર્મીના એન્જિનિયર કોર્પ્સના અધિકારીએ આર્મીની કમાન સંભાળી છે. અગાઉ 28 વખત પાયદળ, આર્ટિલરી અને આર્મર્ડ રેજિમેન્ટના અધિકારીઓએ જ 13 લાખ જવાનોની સેનાનું નેતૃત્વ કર્યું છે.
Published On - 6:29 pm, Tue, 10 May 22