Whatsapp અને Facebook વિરુદ્ધ વેપારીઓનો વિરોધ, પ્રતિબંધ મૂકવાની માંગ

|

Jan 10, 2021 | 10:41 PM

દેશમાં વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ લોકપ્રિય મેસેજિંગ એપ  Whatsappની  પ્રાઈવેસી પોલિસી  પર વિરોધ પ્રદર્શિત કર્યો છે. તેમજ તેની પર પ્રતિબંધની માંગ કરી છે.

Whatsapp અને Facebook વિરુદ્ધ વેપારીઓનો વિરોધ, પ્રતિબંધ મૂકવાની માંગ

Follow us on

દેશમાં વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ લોકપ્રિય મેસેજિંગ એપ  Whatsappની  પ્રાઈવેસી પોલિસી  પર વિરોધ પ્રદર્શિત કર્યો છે. તેમજ તેની પર પ્રતિબંધની માંગ કરી છે. કનફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનું કહેવું છે કે વોટ્સએપની નવી નીતિથી એપનો ઉપયોગ કરનારા તમામ લોકોનો વ્યક્તિગત ડેટા, પેમેન્ટ હિસ્ટ્રી, સંપર્ક, સ્થાન અને અન્ય મહત્વપૂર્ણ જાણકારીને મેળવીને કોઈ ઉદ્દેશ માટે ઉપયોગ કરી શકે છે.

 

આઈટી મંત્રી રવિશંકર પ્રસાદને લખેલા એક પત્રમાં કનફેડરેશને માંગ કરી છે કે સરકાર Whatsappની નવી પ્રાઈવેસી નીતિ લાગુ કરવાના અપડેટને તરત રોકવા જોઈએ અને વોટ્સએપ અને તેમની મૂળ કંપની ફેસબુક પર તરત પ્રતિબંધ મૂકવો જોઈએ. ભારતમા ફેસબુકના 20 કરોડથી વધારે યુઝર છે અને કંપની પોતાની નીતિના માધ્યમથી જબરજસ્તી તેમનો ડેટા મેળવવા માંગે છે સાથે દેશની સુરક્ષા માટે પણ ગંભીર ખતરો છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

કન્ફેડરેશને કહ્યું છે કે આ અમને  ઈસ્ટ ઈન્ડિયા કંપનીનાએ દિવસોની યાદ અપાવે છે. જેમાં કંપનીએ  મીઠાનો કારોબાર માટે ભારતમાં પ્રવેશ કર્યો હતો અને દેશને ગુલામ બનાવી લીધો હતો. પરંતુ હાલના સમયમાં ડેટા અર્થવ્યવસ્થા અને દેશની સામાજીક સંરચના માટે મહત્વપૂર્ણ છે. વોટ્સએપ અને ફેસબુકનો મફતમાં તેનો ઉપયોગ કરવા દેવાનો અસલી ઈરાદો હવે સામે આવ્યો છે. તેમનો ઉદ્દેશ તમામ ભારતીયના ડેટાને હાંસલ કરવાનો છે. તેમજ તેના છૂપાયેલો એજન્ડા ભારતના વ્યાપાર અને અર્થવ્યવસ્થાને નિયંત્રત કરવાનો છે.

 

કન્ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભરતીયાએ અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે વોટ્સએપ ભારતમાં આગામી મહિનાથી પોતાની પ્રાઈવેસી પોલિસી બદલવાનું છે. જેમ વોટ્સએપની મનમાની અને એક તરફી શરતોનો સ્વીકાર કરવા લોકોને  ફરજ પાડી રહ્યું છે. તેમજ જો તેમ નહીં કરે તો વોટસએપ તેમનું એકાઉન્ટ ડિલીટ કરી દેશે. આ બંનેએ જણાવ્યું કે વોટ્સએપની બદલાયેલી નીતિ વ્યકિતના ગોપનીયતા અધિકાર પર તરાપ સમાન છે. તેમજ ભારતના બંધારણીય અધિકારોની વિરુદ્ધ છે. સરકાર આ મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી માંગણી કરી છે.

 

આ પણ વાંચો: NSEએ ભૂલથી Mouni Royના ફોટો કર્યા ટ્વીટ, ટ્રોલ થયા બાદ કર્યા ડિલીટ

Next Article