કાળઝાળ ગરમીમાંથી હજુ કોઈ રાહત નહીં, આગામી પાંચ દિવસ સુધી ગરમીનું મોજું, જાણો દિલ્હી સહિત દેશના હવામાનનો મિજાજ

હવામાન વિભાગે (Meteorological Department ) કહ્યું કે, 'આગામી પાંચ દિવસ દરમિયાન પૂર્વ, મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તશે.' તે જ સમયે, હવામાન વિભાગે રાષ્ટ્રીય રાજધાનીમાં યલો એલર્ટ (yellow alert) જાહેર કર્યું છે.

કાળઝાળ ગરમીમાંથી હજુ કોઈ રાહત નહીં, આગામી પાંચ દિવસ સુધી ગરમીનું મોજું, જાણો દિલ્હી સહિત દેશના હવામાનનો મિજાજ
Heat wave (Symbolic Image)Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 7:34 AM

કાળઝાળ ગરમી (Heatwave) વચ્ચે હવામાન વિભાગે મોટી માહિતી આપી છે. IMD એ ઓછામાં ઓછા આગામી પાંચ દિવસ સુધી દેશના મોટાભાગના ભાગોમાં હીટ વેવની સ્થિતિની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું, ‘આગામી પાંચ દિવસ દરમિયાન પૂર્વ, મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં ગરમીની લહેર પ્રવર્તશે.’ હવામાન વિભાગે રાષ્ટ્રીય રાજધાનીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જણાવી દઈએ કે બુધવારે દિલ્હીમાં સૌથી વધુ 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા-ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, બિહાર અને ઝારખંડમાં ગરમીની સ્થિતિ પ્રવર્તી શકે છે. તો પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ગુજરાતના ઉત્તરીય ભાગોના અલગ-અલગ વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ છે. IMD એ જણાવ્યું કે ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં લગભગ 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. આ પછી, લગભગ 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.

ઉત્તર ભારતમાં 29 એપ્રિલે ધૂળની ડમરી ઉડવાની આગાહી

ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક આરકે જેનામણિએ કહ્યું છે કે ઉત્તર ભારતમાં 29 એપ્રિલે ધૂળની આંધી આવવાની સંભાવના છે. સાથે જ 1 થી 2 મે દરમિયાન તાપમાનમાં ઘટાડો થશે. IMD અનુસાર, 30 એપ્રિલથી પૂર્વીય ક્ષેત્રમાં ગરમીની લહેર રહેશે નહીં. 21 એપ્રિલ, 2007ના રોજ રાજધાનીમાં મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 29 એપ્રિલ 1941ના રોજ એપ્રિલમાં મહત્તમ તાપમાન 45.6 °C નોંધાયું હતું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

તે જ સમયે, હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે શુક્રવારે દિલ્હીમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંશિક વાદળછાયું આકાશ, હળવો વરસાદ અને ધૂળવાળા પવનની સંભાવના છે, જેનાથી થોડી રાહત મળવાની આશા છે.

છેલ્લા 122 વર્ષમાં માર્ચ મહિનો રહ્યો સૌથી ગરમ મહિનો

ભારતમાં છેલ્લા 122 વર્ષોમાં, આ વર્ષે માર્ચ સૌથી ગરમ મહિનો હતો, જે દરમિયાન દેશના મોટા ભાગોમાં તીવ્ર ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો.

અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં એપ્રિલ માસના પ્રથમ 25 દિવસમાં અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની પાર પહોંચ્યો છે. તેમજ એપ્રિલ માસમાં મે માસ જેટલી ગરમી નોંધાઈ રહી છે. જેમાં 27 એપ્રિલ અને બુધવારે અમદાવાદ શહેરમાં રાજ્યનું સૌથી વધુ 44 .2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ અમદાવાદ શહેરમાં સતત ત્રણ દિવસથી રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ રહી છે. તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર મે માસમાં પણ ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરે તેવી શક્યતા છે. અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો :  ગુજરાતના આ શહેરોમાં નહીં સર્જાય પાણીની સમસ્યા, રાજ્ય સરકારે કરી આ વિશેષ વ્યવસ્થા

Latest News Updates

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
g clip-path="url(#clip0_868_265)">