ભારતે ધીરે-ધીરે કોરોના વાઈરસ માટે પરીક્ષણ ક્ષમતા વધારી દીધી છે અને એક દિવસમાં 4.2 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે મૃત્યુદરમાં મોટો ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ દેશમાં એક જ દિવસમાં સૌથી વધારે 4.2 લાખથી વધારે લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા.
India records highest-ever more than 4.2 lakh COVID tests in a single day. Nearly 1.6 crore samples tested so far. There is a sharp decline in Case Fatality Rate to 2.35%: Ministry of Health and Family Welfare #COVID19 #COVID19Indiapic.twitter.com/9IOGcjgg1q
— tv9gujarati (@tv9gujarati) July 25, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે પ્રયોગશાળાઓની સંખ્યામાં વધારાના કારણે આ સંભવ થઈ શક્યુ. મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી લગભગ 1.6 કરોડ લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. દેશમાં કોરોના મૃત્યુદર હવે ઘટીને 2.35 ટકા થઈ ગયો છે. ભારતમાં પહેલા બીમારીના ટેસ્ટ માટે માત્ર એક પ્રયોગશાળા હતી પણ હવે તેની સંખ્યા વધીને 1,301 થઈ ગઈ છે. જેમાં ખાનગી પ્રયોગશાળાઓ પણ સામેલ છે.
મંત્રાલયે કહ્યું કે ભારતે છેલ્લા એક અઠવાડિયામાં દર દિવસે 3.50 લાખ ટેસ્ટ કર્યા. છેલ્લા 24 કલાકમાં 4.2 લાખથી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા. કોરોના માટે ટેસ્ટમાં વધારાની સાથે મૃત્યુદર ઘટીને 2.35 ટકા થયો છે અને સ્વસ્થ દર વધીને 63.54 ટકા થયો છે. વિશ્વના મુકાબલે ભારતમાં સૌથી ઓછો મૃત્યુદર છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 3:02 pm, Sat, 25 July 20