ભારત આવી પહોચ્યુ અભેદ કિલ્લા સમાન એર ઈન્ડિયા વન, વડાપ્રધાન-રાષ્ટ્રપતિ માટે કરાશે ઉપયોગ, જાણો એર ઈન્ડિયા વનની ખાસીયત અને ખુબી

|

Oct 01, 2020 | 6:53 PM

ભારતના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે બોઈગ 777 વિમાનની ખરીદી કરવામાં આવી છે. આ વિમાન એક અભેદ કિલ્લા સમાન છે. અને તેમાં વડાપ્રધાન ઉપરાંત રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પ્રવાસ કરશે. બન્ને બોઈગ 777 વિમાનનું ઉડ્ડયન ભારતીય વાયુસેનાના પાઈલટ કરશે. સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર, એક બોઈગ 777 વિમાન એર ઈન્ડિયા વન આજે દિલ્લીના ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઉતર્યુ. એર […]

ભારત આવી પહોચ્યુ અભેદ કિલ્લા સમાન એર ઈન્ડિયા વન, વડાપ્રધાન-રાષ્ટ્રપતિ માટે કરાશે ઉપયોગ, જાણો એર ઈન્ડિયા વનની ખાસીયત અને ખુબી

Follow us on

ભારતના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે બોઈગ 777 વિમાનની ખરીદી કરવામાં આવી છે. આ વિમાન એક અભેદ કિલ્લા સમાન છે. અને તેમાં વડાપ્રધાન ઉપરાંત રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પ્રવાસ કરશે. બન્ને બોઈગ 777 વિમાનનું ઉડ્ડયન ભારતીય વાયુસેનાના પાઈલટ કરશે.

સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર, એક બોઈગ 777 વિમાન એર ઈન્ડિયા વન આજે દિલ્લીના ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઉતર્યુ. એર ઈન્ડિયા વન વિમાન અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. તેમાં આધુનિક સંચાર પધ્ધતિનો સમાવેશ કર્યો છે. જે કોઈ પણ વિક્ષેપ વિના કે હેક થયા વિના સતત કાર્યરત રહે છે. આ વિમાનને ખાસ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ માટે તૈયાર કરાવ્યું છે. જે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમથી પણ સજ્જ કરાયેલા છે.

આ વિમાનમાં મિસાઈલ એપ્રોચ વોર્નિગ સિસ્ટમ પણ લગાવાઈ છે. જે સેન્સરની મદદથી મિસાઈલ તોડી પાડવા માટે પાયલટને સરળતા રહે છે. વિમાનમાં ઈલેક્ટ્રોનિક વોરફેર જામર લગાવાયા છે. જે દુશ્મન દ્વારા છોડાયેલ ડ્રોન અને જીપીએસ સિગ્નલલને બ્લોક કરી દે છે. મિસાઈલ વિરોધી ઈન્ફ્રારેડ કાઉન્ટર મેજર સિસ્ટમથી ઈન્ફ્રારેડ મિસાઈલથી વિમાનને બચાવે છે. તો રડાર યુક્ત મિસાઈલથી પણ વિમાનને સુરક્ષા પૂરી પાડે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

હાલમાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ એર ઈન્ડિયાના બી 747 વિમાનથી પ્રવાસ કરે છે. જેને એર ઈન્ડિયા વન કહેવામાં આવે છે. નવા ખરીદદાયેલા બોઈગ 777 વિમાનનો ઉપયોગ દેશના વડાપ્રધાન રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ સહીત વીવીઆઈપી માટે કરાશે.

આ પણ વાંચોઃઅટકાયત સામે આક્રોશ, રાહુલ ગાંધીની અટકાયત મામલે કોંગ્રેસના કાર્યકરોએ પુતળુ બાળી કર્યો વિરોધ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

 

 

Next Article