India China Latest News: પાકિસ્તાનની બોર્ડરથી હટેલા ભારતીય સૈનિકોનો ચીન બોર્ડર પર ખડકલો, 50 હજાર સૈનિકોનાં જમાવડા પાછળ જાણો ભારતનો વ્યૂહ

|

Jun 28, 2021 | 8:01 PM

India China Latest News: ભારત ચીન પર સતત નજર તો રાખી જ રહ્યું છે, સાથે તેના 2 લાખ સૈનિક હવે આ બોર્ડર પર થઈ ગયા છે. પાછલા વર્ષની સરખામણી કરવામાં આવે તો લગભગ અડધોઅડધ તેમાં વધારો થયો

India China Latest News: પાકિસ્તાનની બોર્ડરથી હટેલા ભારતીય સૈનિકોનો ચીન બોર્ડર પર ખડકલો, 50 હજાર સૈનિકોનાં જમાવડા પાછળ જાણો ભારતનો વ્યૂહ
India China Latest News: Indian troops evacuated from Pakistan border on China border, find out India's strategy behind the deployment of 50,000 troops

Follow us on

India China Latest News: 15 જૂનનાં રોજ ગલવાનની ઘાટીમાં ચીન અને ભારત(India China)નાં સૈનિકો વચ્ચે સર્જાયેલા ઘર્ષણની ઘટના હજુ પણ બધાનાં માનસપટલ પર છે. ભારતીય સૈનિકોનું મનોબળ વધારવા સંરક્ષણ પ્રધાન લદ્દાખની મુલાકાત લેતા રહે છે. આ બધા વચ્ચે ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગ તરફથી મળી રહેલી માહિતિ પ્રમાણે 50 હજાર ભારતીય સૈનિકો હાલમાં ચીન બોર્ડર(Chinas Border) પર ખડકવામાં આવ્યા છે.

મળતી સૂત્રિય માહિતિ પ્રમાણે ભારતે સેનાની ટુકડીઓ ખડકવા સાથે લડાકુ પ્લેનને પણ ગોઠવી રાખ્યા છે. આ એક એવા પ્રકારનો વ્યૂહ છે કે જેના માધ્યમથી ભારત ચીન પર સતત નજર તો રાખી જ રહ્યું છે, સાથે તેના 2 લાખ સૈનિક હવે આ બોર્ડર પર થઈ ગયા છે. પાછલા વર્ષની સરખામણી કરવામાં આવે તો લગભગ અડધોઅડધ તેમાં વધારો થયો છે. આ આંકડા અંગે જોકે અધિકૃત કોઈ માહિતિ મળી શકી નથી.

ભારતની રણનીતિ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘાટીમાં સર્જાયેલી સશસ્ત્ર અથડામણ બાદ ભારતે પોતાનું ફોકસ ચીન પર વધારે કરી નાખ્યું છે. એમ જોવા જાય તો ભારત અને ચીન વચ્ચે 1962માં બે વાર યુદ્ધ થયા બાદ પણ દુશ્મનીની દ્રષ્ટીએ પાકિસ્તાનને વધારે મહત્વ આપતું રહ્યું છે. કાશ્મીર મુદ્દો હંમેશા સળગતો રહ્યો છે તેની વચ્ચે ભારતે પાકિસ્તાન સીમા પરથી સૈનિકો હટાવીને ચીન બોર્ડર પર ખડકી દીધા છે.

ગલવાનમાં સૈનિકો પર દગો રાખીને કરાયેલા કૃત્ય બાદ વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન સાથે મામલો થાળે પાડીને પોતાનું ફોકસ ચીનની સીમા પર કરી રાખવાની રણનીતિ અપનાવી છે. ભારતની આ સ્ટ્રેટેજીથી ભારત ચીનમાં પ્રવેશ કરી જાય તેવી સ્થિતિ તેણે બનાવી લીધી છે. લશ્કરી સરંજામને પણ ઝડપથી પહોચાડી શકાય તે માટે તમામ મિકેનીઝમને સુયોગ્ય બનાવી દેવાયું છે.

સુધરે એ ચીન નહી

ભારત સામે જો કે ચાઈનાએ કેટલા સૈનિકોને ખડકી રાખ્યા છે તે બહાર નથી આવ્યું, પરંતુ વખતોવખત તેમના યુદ્ધ અભ્યાસનાં વિડિયો સામે જરૂર આવતા રહે છે. પિપલ્સ લિબરેશન આર્મી(PLA) દ્વારા સૈનિકોને શિનજિયાંગ મિલિટ્રી કમાન્ડ લાવવામાં આવ્યા હતા. આ એજ ટુકડી છે કે જે વિવાદિત વિસ્તારમાં પેટ્રોલિંગ પણ કરતી રહે છે. ચીને આજ વિસ્તારમાં લડાકુ પ્લેનથી લઈને નવા એરફિલ્ડ પણ બનાવી નાખ્યા છે.

જણાવવું રહ્યું કે ભારત અને ચીને જે રીતે સૈનિકોનો ખડકલો કર્યો છે તે જોતા ગમે ત્યારે સંંઘર્ષની સ્થિતિ ઉભી પણ થઈ શકે છે. આમ પણ કમાન્ડર લેવલની 8 કરતા વધારે બેઠક મળી ચુકી હોવા છતા તેનું ખાસ કોઈ પરિણામ હજુ સુધી આવ્યું નથી. એટલે એમ કહી શકાય બંને દેશનાં સૈનિકોની નજર એકબીજા પર જ મંડરાયેલી છે.

 

Next Article