રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ રાજીવ સાતવે કહ્યું – જો વૃક્ષોની ગણતરી થઇ શકે તો OBCની કેમ નહીં?

રાજ્યસભામાં કોંગ્રેસના સભ્ય રાજીવ સાતવે ઓબીસીની વસ્તી ગણતરીમાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો હતો. સરકારને તેમણે કહ્યું કે, જો તે પ્રાણીઓ અને ઝાડની ગણતરી કરી શકાય છે તો ઓબીસીની કેમ નહીં?

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ રાજીવ સાતવે કહ્યું - જો વૃક્ષોની ગણતરી થઇ શકે તો OBCની કેમ નહીં?
File Image
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 20, 2021 | 3:16 PM

રાજ્યસભામાં કોંગ્રેસના સભ્ય રાજીવ સાતવે શુક્રવારે અન્ય પછાત વર્ગો (OBC) ની વસ્તી ગણતરીમાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો હતો. સરકારને ઠપકો આપતા તેમણે કહ્યું કે, જો તે પ્રાણીઓ અને ઝાડની ગણતરી કરી શકાય છે તો ઓબીસીની કેમ નહીં? તે જ સમયે ભાજપના સાંસદ સંજય શેઠે પણ સંસદમાં વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવાની માંગ કરી હતી. તેમણે વધતી વસ્તીના મુદ્દાને દેશ માટે જોખમી ગણાવ્યો હતો. જાહેર છે કે લાંબા સમયથી વસ્તીગણતરીમાં ઓબીસી એટલે કે અન્ય પછાત વર્ગની વસ્તીની ગણતરીનો મુદ્દો ચાલતો આવે છે. આ મુદ્દા અંગે વાત કરતી વખતે કોંગ્રેસ સભ્ય રાજીવ સાતવે સરકાર પર સવાલો ઉભા કર્યા હતા અને ઓબીસી વર્ગોની વસ્તી ગણતરીની માંગ કરી હતી.

લાંબા સમયથી ઓબીસી વસ્તી ગણતરીની માંગ

આ મુદ્દો ઉઠાવતા કોંગ્રેસના રાજીવ સાતવે સરકાર પાસે વહેલી તકે ઓબીસી વસ્તી ગણતરી કરવા માંગ કરી હતી. તેમણે કહ્યું કે, લાંબા સમયથી ઓબીસી વસ્તી ગણતરીની માંગ કરવામાં આવી રહી છે અને ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મુંડેએ પણ લોકસભામાં ઘણી વખત આ માંગણી ઉઠાવી હતી.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

તેમણે કહ્યું કે, જ્યારે સરકાર પ્રાણીઓની ગણતરી કરી શકે છે, સરકાર વૃક્ષોની ગણતરી કરી શકે છે, તો પછી સમાજના આ મહત્વપૂર્ણ ઘટક ઓબીસીની ગણતરી કેમ કરી શકતી નથી? 2018 માં સરકારે આ ખાતરી આપી હતી. વર્ષ 2019 માં પણ સરકારે કહ્યું હતું કે, આપણે વસ્તી ગણતરીની દિશામાં જઈ રહ્યા છીએ અને હમણાં જ જોવા મળ્યું છે કે તેમાં ઓબીસી કોલમ દૂર કરવામાં આવી છે.

વધતી જતી વસ્તી ગંભીર સંકટ

શુક્રવારે લોકસભામાં ભાજપના સાંસદ સંજય શેઠે પણ વધતી વસ્તીને દેશની સામે ગંભીર સંકટ ગણાવ્યું હતું. તેમણે કેન્દ્ર સરકારને વસ્તી નિયંત્રણ કાયદો બનાવવા માંગ કરી હતી. ઝીરોઅવર દરમિયાન આ મુદ્દો ઉઠાવતા ભાજપના સાંસદ સંજય શેઠે કહ્યું હતું કે, દેશમાં વધતી વસ્તી એક મોટું સંકટ બની રહી છે. આવી સ્થિતિમાં સરકારે દેશમાં વસ્તી નિયંત્રણ કાયદો લાવવો જોઈએ.

તેમણે કહ્યું કે, બે બાળકો માટેના માપદંડનો અમલ થવો જોઈએ. જે લોકો આનો ભંગ કરે છે તેમને સરકારી સુવિધા ન મળવી જોઇએ અને ચૂંટણી લડી પણ લડવાની મનાઈ હોવી જોઈએ. આવી જોગવાઈ થવી જોઈએ.

Latest News Updates

દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">