IIT ખડગપુરે બનાવ્યું કોરોના ટેસ્ટ પોર્ટેબલ ડિવાઈસ, 400 રૂપિયા થશે ખર્ચ

|

Sep 22, 2020 | 1:11 PM

IIT ખડગપુરે કહ્યું કે તેમના સંશોધનકારોએ એક પોર્ટેબલ ડાયગ્નોસ્ટીક ડિવાઈસ વિકસિત કર્યુ છે. જે માત્ર 400 રૂપિયાના ખર્ચ પર 60 મિનિટમાં કોરોના વાઈરસનો ટેસ્ટ રિપોર્ટ આપી શકે છે. અહેવાલ મુજબ IIT ખડગપુરે કહ્યું કે આ નોન-ઈનવેસિવ લવાઈવા બેસ્ડ ટેસ્ટને ખુબ જ ઓછી કિંમતમાં લેબ્સના ઉપકરણોમાં એક વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકે છે. આ એક પોર્ટેબલ […]

IIT ખડગપુરે બનાવ્યું કોરોના ટેસ્ટ પોર્ટેબલ ડિવાઈસ, 400 રૂપિયા થશે ખર્ચ

Follow us on

IIT ખડગપુરે કહ્યું કે તેમના સંશોધનકારોએ એક પોર્ટેબલ ડાયગ્નોસ્ટીક ડિવાઈસ વિકસિત કર્યુ છે. જે માત્ર 400 રૂપિયાના ખર્ચ પર 60 મિનિટમાં કોરોના વાઈરસનો ટેસ્ટ રિપોર્ટ આપી શકે છે. અહેવાલ મુજબ IIT ખડગપુરે કહ્યું કે આ નોન-ઈનવેસિવ લવાઈવા બેસ્ડ ટેસ્ટને ખુબ જ ઓછી કિંમતમાં લેબ્સના ઉપકરણોમાં એક વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકે છે. આ એક પોર્ટેબલ ડિવાઈસ છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

IIT ખડગપુરે કહ્યું કે આ નવી ટેક્નીકના પરિણામોને સિન્થેટિક વાઈરલ RNAનો ઉપયોગ કરીને RT-PCR મશીનમાંથી મેળવેલા તમામ પ્રમાણભૂત પ્રયોગશાળાના નિયંત્રણોની કડક ચકાસણી કરવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

RNA વાઈરસની જાણ માટે પણ સક્ષમ

IIT ખડગપુરની સ્કૂલ ઓફ બાયો સાયન્સના સહાયક પ્રોફેસર અરિંદમ મોંડલે એક નિવેદનમાં કહ્યું કે IIT ખડગપુર સંશોધનકારો દ્વારા વિકસિત પોર્ટેબલ ડિવાઈસ ના માત્ર કોરોનાની તપાસ કરવામાં સક્ષમ છે પણ આ ડિવાઈસ સામાન્ય પ્રક્રિયાનું પાલન કરીને RNA વાઈરસના કોઈ પણ અન્ય પ્રકારના લક્ષણની તપાસ કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે સંશોધનકારો દ્વારા વિકસિત કરેલા ઉપકરણની કિંમત લગભગ 2000 રૂપિયા હશે. સાથે જ એક જ પોર્ટેબલ યૂનિટનો ઉપયોગ મોટી સંખ્યામાં સેમ્પલોની તપાસમાં કરવામાં આવી શકે છે. દરેક તપાસ પછી માત્ર પેપર અને કાર્ટ્રેજ બદલવાની આવશ્યકતા રહેશે. વધુમાં IIT ખડગપુરે કહ્યું કે આ ઉપકરણ બજારમાં વેચવા માટે તૈયાર છે. કોઈ પણ કોર્પોરેટ અથવા સ્ટાર્ટ અપ તેને લેવા માટે સંસ્થાનો સંપર્ક કરી શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 5:59 pm, Sat, 25 July 20

Next Article