દેશમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે. દરરોજ કોરોના વાઈરસના નવા કેસોની પુષ્ટી થઈ રહી છે. હવે દેશમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા 14 લાખને પાર પહોંચી ચૂકી છે. તેની વચ્ચે ICMR કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવાની યોજના બનાવી રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ICMR કોરોના વાઈરસ ટેસ્ટિંગને વધારવાની તૈયારી કરી રહ્યું છે. ICMRના સૂત્રોએ જણાવ્યું કે દરરોજ 10 લાખ સેમ્પલની તપાસ કરવાની યોજના બનાવી છે. દેશમાં હાલ કોરોના માટે દરરોજ લગભગ 5 લાખ સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે.
દેશમાં હાલમાં રોજ લાખોની સંખ્યામાં સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન મુજબ દેશમાં હાલ કુલ 1,62,91,331 કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. ત્યારે 25 જુલાઈએ 4,42,263 ટેસ્ટ થયા છે. તે સિવાય લેબની સંખ્યા વધીને 1,307 થઈ ચૂકી છે. જેમાં ખાનગી લેબ પણ સામેલ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ કડીમાં વડાપ્રધાન મોદી મુંબઈ, કોલકત્તા અને નોઈડામાં 3 નવી કોરોના વાઈરસ ટેસ્ટની લેબનું ઉદ્ઘાટન પણ કરવાના છે. 3 લેબ એક સાથે પ્રતિદિવસ 10,200 સેમ્પલની તપાસ કરી શકે છે. આ લેબ પરીક્ષણની ક્ષમતા વધારવા માટે ઉચ્ચ માત્રામાં ટેસ્ટ કરી શકે છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી 27 જુલાઈએ હાઈ થ્રૂપુટ કોવિડ 19 ટેસ્ટિંગ સુવિધાઓની શરૂઆત કરશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 6:13 pm, Sun, 26 July 20