Sero Survey: ICMR 70 જિલ્લામાં શરુ કરવા જઈ રહી છે સીરો સર્વે, જાણો સીરો સર્વેનું શું છે મહત્વ

|

Jun 09, 2021 | 7:09 PM

Sero Survey: રાજ્યોને લખેલા પત્રમાં ICMRના ડાયરેક્ટરે પણ કહ્યું કે આ સર્વેમાં 6 વર્ષથી વધુ ઉંમરના બાળકોનો સમાવેશ કરવામાં આવશે. સામાન્ય લોકો ઉપરાંત 21 રાજ્યોના આ 70 જિલ્લાની જિલ્લા હોસ્પિટલમાં આરોગ્ય કર્મચારી (Health worker)ઓના લોહીના સેમ્પલ લેવામાં આવશે.

Sero Survey:  ICMR 70 જિલ્લામાં શરુ કરવા જઈ રહી છે સીરો સર્વે, જાણો સીરો સર્વેનું શું છે મહત્વ
ફાઈલ ફોટો

Follow us on

Sero Survey: રાજ્યોને લખેલા પત્રમાં ICMRના ડાયરેક્ટરે પણ કહ્યું કે આ સર્વેમાં 6 વર્ષથી વધુ ઉંમરના બાળકોનો સમાવેશ કરવામાં આવશે. સામાન્ય લોકો ઉપરાંત 21 રાજ્યોના આ 70 જિલ્લાની જિલ્લા હોસ્પિટલમાં આરોગ્ય કર્મચારી (Health worker)ઓના લોહીના સેમ્પલ લેવામાં આવશે.

 

ભારતીય તબીબી સંશોધન પરિષદના (ICMR)ના Sars-CoV-2ના ફેલાવાના વ્યાપને શોધવા માટે ચોથા તબક્કામાં સીરો સર્વે કરવા જઈ રહ્યા છે. જો વાયરસ કોરોના વાયરસ (Corona virus)નું કારણ બને છે તો આ મહિનામાં આ સર્વે દેશના 70 જિલ્લામાં શરુ થશે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

આપને જણાવી દઈએ કે કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ઘાતક બતાવવામાં આવી રહી છે, કારણ એ છે કે, આ સર્વેમાં બાળકોના લોહીના સેમ્પલ લેવામાં આવશે. 4 જૂનના રોજ લખેલા પત્રમાં ICMR મહાનિર્દેશક બલરામ ભાર્ગવે કહ્યું કે, ICMR જૂન 2021માં કોવિડ 19 માટે રાષ્ટ્રીય સીરો-સર્વે (Sero Survey)નો ચોથો તબક્કો શરુ કરશે. આ સીરો સર્વે  70 જિલ્લામાં કરવામાં આવશે, જે જિલ્લામાં પ્રથમ ત્રણ રાઉન્ડ લેવામાં આવ્યા હતા.

 

સર્વેમાં આ જિલ્લાઓની જિલ્લા હોસ્પિટલમાં કામ કરવા માટે 6 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો અને આરોગ્ય કર્મચારી (Health worker)ઓને પણ સામેલ કરવામાં આવશે.સીરો સર્વ(Sero Survey)ના તારણોથી ભારતમાં વર્તમાન કોવિડ-19ની પરિસ્થિતિ નક્કી કરવામાં મદદ કરશે. જે 21 રાજ્યોમાં સીરો સર્વ (Sero Survey) માટેજિલ્લાના નમુના એકત્ર કરવામાંઆવશે.

 

ભારતમાં ઘણા લોકો કોરોના વાયરસ(Corona virus)ની ઝપેટમાં આવ્યા હતા, પરંતુ ICMR દ્વારા કરવામાં આવેલા સીરો સર્વેમાં સામે આવ્યું કે ભારતના અંદાજે 29 કરોડ લોકો કોરોના વાયરસ(Corona virus)થી સંક્રમિત થઈ ચુક્યા છે. સીરો સર્વેને સીરો સ્ટડી પણ કહેવામાં આવે છે. જેનાથી એ રિપોર્ટ સામે આવે છે કે સીરો સર્વે (Sero Survey) થી કેટલી વસ્તી કોરોનાથી સંક્રમિત થઈ છે અને કેટલા લોકો સ્વસ્થ થયા છે.

 

કઈ રીતે કરવામાં આવે છે સીરો સર્વે

આને સેરોલૉજી ટેસ્ટ (Serology test) પણ કહેવામાં આવે છે. આ ટેસ્ટમાં વ્યક્તિના શરીરમાં સંક્રમણ વિરુદ્ધ બનનાર એન્ટીબોર્ડી શોધી શકાય છે. વ્યક્તિની રોગપ્રતિકારકશક્તિ (immunity)એ સંક્રમણ સામે લડી જવાબ આપે છે. માનવ શરીરમાં બે પ્રકારની એન્ટીબોડી બને છે. જેમાં આઈજીએમ અને આઈજીજી સામેલ છે. આ બંન્ને એન્ટીબોડી સંક્રમણ વિરુદ્ધ કામ કરે છે. આઈજીજી એન્ટીબોડી શરીરમાં લાંબા સમય સુધી રહે છે.

 

સીરો સર્વેનું મહત્વ શું છે?

સીરો સર્વે (Sero Survey) બે વસ્તુઓ દર્શાવે છે પ્રથમ કેટલી વસ્તી કોરોના વાયરસ (Corona virus)ની ઝપેટમાં આવી છે. બીજું ક્યાં ગ્રુપમાં વાયરસના લક્ષણો સૌથી વધુ જોવા મળ્યા છે આ કારણથી આ સર્વેને અન્ય સર્વેથી અલગ ગણવામાં આવે છે ખાસ વાતએ છે કે, સીરો સર્વે દરરોજ કરવામાં આવે છે.

 

સીરો સર્વે (Sero Survey) મુજબ સંક્રમિત વ્યક્તિ તેમની રોગપ્રતિકારક  શક્તિ(immunity)ના કારણથી સંક્રમણ વધવાની ચેનને તોડી નાંખે છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર બૉડીના મેમોરી સેલ્સ, જે ટી સેલ્સ અને બી સેલ્સને બનાવી રાખે છે જે કોઈપણ સંક્રમણ થાય છે.

 

ત્યારે તે યાદ રાખે છે જેનાથી જો ફરી વાયરસ હુમલો કરે તો મેમોરી સેલ્સ ઈમ્યૂન સિસ્ટમને વધુ મજબુત બનાવી દે છે, પરંતુ કોરોના મામલે તે જાણી શકાયું નથી કે રોગપ્રતિકારક શક્તિ (immunity) કેટલા સમય સુધી કામ કરી શકે છે. સ્ટડી અનુસાર તે 4થી 6 મહિના સુધી કામ કરે છે.

 

 

Next Article