હૈદરાબાદના ઉદ્યોગ સાહસિકનો કમાલ, મહામારીમાં વિક્સાવ્યુ ‘કોન્ટેક્ટલેસ પાણીપુરી મશીન’

|

Sep 10, 2021 | 5:54 PM

ઉદ્યોગ સાહસિક નાગ રેડ્ડીએ જણાવ્યુ હતુ કે, "આ કોમ્પેક્ટ અને સંપૂર્ણ ઓટોમેટિક (Fully Automatic Machine) પાણીપુરી પીરસતું મશીન છે. આ મશીનની લોડીંગ ક્ષમતા 300 પુરીની છે."

હૈદરાબાદના ઉદ્યોગ સાહસિકનો કમાલ, મહામારીમાં વિક્સાવ્યુ કોન્ટેક્ટલેસ પાણીપુરી મશીન
Entrepreneur Nagreddy (File Photo)

Follow us on

Hyderabad : કોરોના વાયરસને કારણે લોકોની જીવનશૈલીમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. ત્યારે હૈદરાબાદના આ ઉદ્યોગ સાહસિકે કોરોના સંક્રમણ ન વધે તે માટે કોન્ટેક્ટલેસ પાણીપુરી મશીન (Contact Less Panipuri Machine) વિકસાવ્યુ છે. આ મશીનને કારણે શારીરિક સંપર્કની જરૂર રહેશે નહિ.

મળતી માહિતી મુજબ, આ મશીન બનાવનારનું નામ નાગ રેડ્ડી મનો સાઈ છે. તેમણે આ પ્રોજેક્ટ વિશે વાત કરતા જણાવ્યુ હતુ કે, મારા કોલેજના દિવસોથી જ મેં પ્રોસ્થેટિક આર્મ (Prosthetic Arm) વિકસાવવાનું શરૂ કર્યું હતું, તેને ભારતીય વૈજ્ઞાનિક સંસ્થાએ પણ મંજૂરી આપી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મશીનની મદદથી લોકોને સ્પર્શ કર્યા વિના મળશે સ્વાદિષ્ટ પાણીપુરી 

પોતાના મશીન વિશે તેમણે જણાવ્યુ હતુ કે, તે કોમ્પેક્ટ અને સંપૂર્ણ ઓટોમેટિક (Fully Automatic Machine) પાણીપુરી પીરસતું મશીન છે. આ મશીનની લોડીંગ ક્ષમતા 300 પુરીની છે. આ મશીનનો ઉપયોગ કરીને તેને ખૂબ જ સરળતાથી સાફ કરી શકાય છે. આ મશીનની મદદથી લોકોને સ્વાદિષ્ટ પાણીપુરી (Panipuri) સ્પર્શ કર્યા વિના પીરસવામાં આવશે. હાલ આ યુવાનના નવીનતમ પ્રયાસને લોકો ખુબ આવકારી રહ્યા છે.

લોકોની સાવચેતી માટે કોન્ટેક્ટલેસ પાણીપુરી મશીન બનાવવાનું નક્કી કર્યુ : ઉદ્યોગ સાહસિક

વધુમાં તેણે જણાવ્યુ હતુ કે,” હું આ સ્ટાર્ટઅપમાં (Start Up) જોડાયો ત્યારે મારા માતા-પિતાએ મને સંપૂર્ણ સાથ આપ્યો હતો. જેમ જેમ કોવિડની અસર વધી રહી હતી, લોકો વધુને વધુ સાવચેતી રાખતા જોવા મળ્યા , તે સમયે મને પાણીપુરી ખાવા માટે કંઈક નવું કરવાનો વિચાર આવ્યો હતો. બાદમાં જ્યારે મેં બજારમાં તેના વિશે પૂછપરછ કરી, ત્યારે મને માહિતી મળી કે બજારમાં એક મશીન છે, પરંતુ તે સંપૂર્ણપણે ઓટોમેટિક નથી, ત્યારે મેં આ મશીન બનાવવાનું નક્કી કર્યું હતુ.”

 

આસામના સાહસિકે વિકસાવ્યુ હતુ ATM પાણીપુરી મશીન

આ અગાઉ જુલાઈ 2020 માં એક સાહસિકે ATM પાણીપુરી મશીન તૈયાર કર્યુ હતુ. આ મશીન બનાવવામાં તેમને છ મહિના જેટલો સમય લાગ્યો હતો. આ મશીન સંપૂર્ણપણે ATM મશીન જેમ કામ કરે છે. આ મશીનનો વીડિયો ગુવાહાટીના કમિશ્નર દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો: Uttar Pradesh : યુપીમાં લઘુમતિ વોટબેંક પર ઓવૈસીની નજર, માયાવતીએ ટિકિટ આપવાનો ઇનકાર કર્યા બાદ મુખ્તાર અંસારીની પત્નીને ઓવૈસીની પાર્ટીમાંથી ટિકિટની ઓફર

આ પણ વાંચો: UNICEF Survey : કોરોના મહામારી દરમિયાન 4 થી 18 વર્ષની વયના 80 ટકા વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં થયો ઘટાડો

Published On - 5:47 pm, Fri, 10 September 21

Next Article