Holi 2023: આ દરગાહમાં થાય છે હોળીની અનોખી ઉજવણી, હિન્દુ-મુસ્લિમ લોકોએ એકબીજા પર ઉડાડ્યા ગુલાલ

|

Mar 08, 2023 | 4:50 PM

સૂફી સંત હાજી વારિશ અલી શાહની દરગાહ પર હોળી રમવામાં આવે છે ત્યારે જાતિ અને ધર્મની સીમાઓ તૂટતી હોય તેવું લાગે છે. અહીં હિન્દુ-મુસ્લિમ એકસાથે હોળી રમે છે, એકબીજાને ગળે લગાડે છે અને હોળીની શુભેચ્છા પાઠવે છે.

Holi 2023: આ દરગાહમાં થાય છે હોળીની અનોખી ઉજવણી, હિન્દુ-મુસ્લિમ લોકોએ એકબીજા પર ઉડાડ્યા ગુલાલ

Follow us on

કહેવાય છે કે રંગોનો કોઈ ધર્મ હોતો નથી. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીંં હાજી વારિસ અલી શાહની દરગાહ આવેલી છે. આ સ્થાન પર લાંબા સમયથી માત્ર હિંદુઓ જ નહીં પરંતુ મુસ્લિમો દ્વારા પણ હોળીની ઉજવણી કરવામાં આવે છે. બારાબંકીમાં સ્થિત પ્રસિદ્ધ સૂફી સંત હાજી વારિશ અલી શાહની સમાધિ પર એક અનોખી હોળી રમવામાં આવે છે. અહીં હોળીના દિવસે દરેક ધર્મના લોકો રંગોમાં રંગાયેલા જોવા મળે છે.

સૂફી સંત હાજી વારિશ અલી શાહની દરગાહ પર હોળીની ઉજવણી

એક તરફ દેશના રાજકારણીઓ આખા દેશમાં ધાર્મિક ઉન્માદ ફેલાવીને, લોકોમાં દુશ્મનાવટ ફેલાવીને પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યા છે અને આખા દેશને ધર્મના નામે વિભાજિત કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ, બારાબંકી જિલ્લામાં સૂફી સંત હાજી વારિશ અલી શાહની દરગાહ પર હોળી રમવામાં આવે છે ત્યારે જાતિ અને ધર્મની સીમાઓ તૂટતી હોય તેવું લાગે છે. અહીં હિન્દુ-મુસ્લિમ એકસાથે હોળી રમે છે, એકબીજાને ગળે લગાડે છે અને હોળીની શુભેચ્છા પાઠવે છે.

એકતાનો સંદેશ આપે છે ઉજવણી

બીજી તરફ હાજી વારિશ અલી શાહની દરગાહ પર રમાતી હોળીની સૌથી ખાસ વાત એ છે કે આ હોળીમાં રામની આખી ઝલક સ્પષ્ટપણે જોવા મળે છે જે તેમનો સંદેશ હતો. દેશભરમાંથી હિન્દુ, મુસ્લિમ અને શીખો અહીં આવે છે અને હાજી વારિશ અલી શાહની દરગાહ પર એકસાથે હોળી રમે છે અને એકતાનો સંદેશ આપે છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

રંગો, ગુલાલ અને ફૂલોથી રમવામાં આવે છે હોળી

આ હોળીમાં હિંદુઓ હિંદુ નથી, મુસલમાન મુસલમાન નથી, શીખ નથી શીખ, પણ દરેક માણસ બનીને હોળી રમે છે. આ દરમિયાન વિવિધ ધર્મો દ્વારા રંગો, ગુલાલ અને ફૂલોથી રમાતી હોળી જોવાનું અદ્ભુત છે. સેંકડો વર્ષોથી ચાલી આવતી હોળી રમવાની આ પરંપરા સમાજ માટે આદર્શ છે.

શું છે મઝારનો ઈતિહાસ ?

જણાવી દઈએ કે, હાજી વારિશ અલી શાહની કબર તેમના હિંદુ મિત્ર રાજા પંચમ સિંહ દ્વારા બનાવવામાં આવી હતી. તેના નિર્માણથી આ સ્થળ હિંદુ-મુસ્લિમ એકતાનો સંદેશ આપતું રહ્યું છે. અહીં આવનારા યાત્રિકોમાં હિન્દુ તીર્થયાત્રીઓ વધુ હોય છે. કેટલીક જગ્યાએ, હિન્દુ ભક્તો તેમના ઘરો અને વાહનો પર શ્રી કૃષ્ણ વારિશ સરકારના શબ્દો પણ ચિહ્નિત કરે છે.

Published On - 4:50 pm, Wed, 8 March 23

Next Article