ચેતજો! હિમાલયની અવગણના હવે સમગ્ર દેશને ડૂબાડશે, દેશની સુપ્રીમ કોર્ટે પણ વ્યક્ત કરી ચિંતા

હિમાલય તૂટી રહ્યો છે, મેદાનો તણાઈ રહ્યા છે, હિમાચલ પ્રદેશ,ઉત્તરાખંડ, જમ્મુકાશ્મીરમાં આવેલુ પૂર એ માત્ર કુદરતી નથી પરંતુ માણસની લાલચનું પણ પરિણામ છે. આ આપદાઓ હવે માત્ર પહાડી રાજ્યો પૂરતી સિમીત નથી અને પંજાબ તેનુ જ ઉદાહરણ છે. ખુદ સુપ્રીમ કોર્ટના જસ્ટીસે આના પર ચિંતા વ્યક્ત કરી છે હિમાચલમાં પહાડો તૂટવાની ઘટના પર જો હવે જાગીશું નહીં તો એ દિવસ દૂર નથી કે હિમાચલ દેશના નક્શામાં ગુમ થઈ જશે. આ ટિપ્પણીને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો પંજાબ તો ડૂબી જ રહ્યુ છે. પરિણામ નજરની સામે છે.

ચેતજો! હિમાલયની અવગણના હવે સમગ્ર દેશને ડૂબાડશે, દેશની સુપ્રીમ કોર્ટે પણ વ્યક્ત કરી ચિંતા
| Updated on: Sep 19, 2025 | 2:50 PM

દેશના પહાડી રાજ્યોમાં ખાસ કરીને ઉત્તરાખંડ,  હિમાચલપ્રદેશ અને જમ્મુકાશ્મીરમાં છેલ્લા એક મહિનામાં વરસાદે જે વિનાશ વેર્યો છે તે સહુ કોઈએ જોયો છે. હિમાચલ પ્રદેશમાં અને ખાસ કરીને કૂલુ મનાલીથી જે ડરામણા દૃશ્યો સામે આવ્યા તે વ્યથિત કરી દેનારા હતા. લેન્ડ સ્લાઈડ અને ભૂસ્ખલનની મારથી જમ્મુકાશ્મીર પણ બાકાત નથી રહી શક્યુ. ત્યારે જો આપણે વિચારી રહ્યા હોય કે પહાડોની લેન્ડસ્લાઈડ અને નદીઓના પૂરથી સર્જાયેલો વિનાશ, વાદળો ફાટવાથી થઈ રહેલુ નુકસાન એ માત્ર આ પહાડી રાજ્યો પૂરતી સમસ્યા છે તો આ ભૂલભરેલુ છે. જો આ પહાડોની વ્યવસ્થા ખોરવાશે તો મેદાની વિસ્તારો પણ સુરક્ષિત નહીં રહી શકે. પહાડો તૂટશે તો મેદાનો પણ ઝપેટમાં આવશે. જેની તસવીરો હાલ પંજાબથી સામે આવી જ રહી છે. પંજાબમાં આ વર્ષનું સૌથી ભયાનક પૂર જોવા મળી રહ્યુ છે. જે આજ સુધી ક્યારેય આવ્યુ નથી. પંજાબના અનેક જિલ્લાઓ, શહેરો અને ગામોના ગામ તણાઈ ગયા છે. જેનાથી લાખો લોકો પ્રભાવિત થયા છે. લાખો લોકોના ઢોર ઢાંખર, ઘરો, દુકાનો બધુ જ પૂર...

Published On - 8:26 pm, Sun, 7 September 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us