NEET PG Counselling 2021 : NEET PG કાઉન્સિલિંગ પરની સુનાવણી પૂર્ણ, રાષ્ટ્રના હિતમાં કાઉન્સેલિંગ શરૂ થવું જોઈએઃ સુપ્રીમ કોર્ટ

|

Jan 06, 2022 | 7:00 PM

NEET PG Counselling 2021 Supreme Court Verdict: નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, NEET PG કાઉન્સિલિંગ 2021 સંબંધિત સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે NEET-PG કાઉન્સેલિંગના સંદર્ભમાં અન્ય પછાત વર્ગો (OBC) અને આર્થિક રીતે નબળા વિભાગો (EWS) ક્વોટા પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.

NEET PG Counselling 2021 : NEET PG કાઉન્સિલિંગ પરની સુનાવણી પૂર્ણ, રાષ્ટ્રના હિતમાં કાઉન્સેલિંગ શરૂ થવું જોઈએઃ સુપ્રીમ કોર્ટ
Supreme Court (File Photo)

Follow us on

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, NEET PG કાઉન્સિલિંગ 2021 અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, NEET PG કાઉન્સિલિંગ 2021 સંબંધિત સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે NEET-PG કાઉન્સેલિંગના સંદર્ભમાં અન્ય પછાત વર્ગો (OBC) અને આર્થિક રીતે નબળા વિભાગો (EWS) ક્વોટા પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં NEET PG કાઉન્સેલિંગ પર સુનાવણી પૂર્ણ

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને મેડિકલ કાઉન્સેલિંગ કમિટીના 29 જુલાઈના નિર્ણયને પડકારતી અરજીઓની સુનાવણી દરમિયાન કાઉન્સેલિંગ પરનો સ્ટે ઉઠાવી લેવાનો પોતાનો આદેશ અનામત રાખ્યો છે, જેમાં NEET પ્રવેશ માટે EWS શ્રેણી માટે 10 % અનામતની જોગવાઈ હતી. આદેશ સુરક્ષિત કરતા પહેલા, બેન્ચે કહ્યું, “અમે એવી સ્થિતિમાં છીએ જ્યાં રાષ્ટ્રના હિતમાં કાઉન્સેલિંગ શરૂ થવું જોઈએ.”

સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટની બેન્ચે NEET-PG બેઠકો માટે નિવાસી ડોકટરોની કાઉન્સેલિંગની માંગને “વ્યાજબી” ગણાવી. કેન્દ્રની વિનંતીને હકારાત્મક રીતે ધ્યાનમાં લેવા બેંચ સંમત થઈ હતી.એસજી તુષાર મહેતાએ જણાવ્યું હતું કે EWS નિયમ જાન્યુઆરી 2019માં અસ્તિત્વમાં આવ્યો હતો. જ્યારે કાઉન્સેલિંગ શરૂ થવાનું હતું ત્યારે અરજદારો તેને પડકારવા આવ્યા હતા, તેથી ઘણું મોડું થઈ ગયું છે. એસજીએ કહ્યું કે જો કાઉન્સેલિંગમાં વિલંબ થશે અને કોવિડની ત્રીજી લહેર લગભગ આવી ગઈ છે તો ડૉક્ટરોની અછત સર્જાશે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

EWS ક્વોટા વિશે શુ કહેવાયુ ?

EWS માટે 10 % અનામતને પડકારનારાઓ માટે વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને જણાવ્યું હતું કે અનુસ્નાતક પ્રવેશ સંપૂર્ણ રીતે મેરિટ આધારિત હોવો જોઈએ અને આરક્ષણ ન્યૂનતમ હોવું જોઈએ. તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો ઉલ્લેખ કર્યો હતો કે સુપર સ્પેશિયાલિટી કોર્સમાં કોઈ અનામત હોવી જોઈએ નહીં.

અત્રે ઉલ્લેખનીય કે, કાઉન્સેલિંગમાં એક મહિનાથી વધુ સમય વિલંબ થયો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે પ્રક્રિયા ઝડપથી આગળ વધી શકશે. NEET PG કાઉન્સેલિંગ 2021 માં વિલંબને કારણે, દેશભરના ડોકટરો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. મામલો કોર્ટ સુધી પહોંચ્યો, પરંતુ સુનાવણીની તારીખ જાહેર કરવામાં આવી રહી ન હતી, તેથી કેન્દ્રની વિનંતી પર, સુપ્રીમ કોર્ટ તેની નિયત તારીખ પહેલાં અરજીની સુનાવણી કરવા માટે સંમત થઈ.

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી સ્પેશિયલ બેન્ચ દ્વારા NEET એડમિશનની આ બાબતની સુનાવણી કરવામાં આવી હતી. ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા તાત્કાલિક યાદી માંગવામાં આવી હતી. ત્યારબાદ, ભારતના મુખ્ય ન્યાયાધીશ, CJI એનવી રમના અને ન્યાયમૂર્તિ સૂર્યકાન્ત અને હેમા કોહલીની બેન્ચ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ

પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો ગુજરાતમાં પણ ગરમાયો, ભાજપ નેતાઓએ રાજ્યપાલને આવેદન પત્ર પાઠવ્યું

આ પણ વાંચોઃ

વાઈબ્રન્ટ બાદ રાજ્યમાં પ્રાથમિક સ્કૂલો પણ બંધ થવાની સંભાવના, જોકે સરકાર હજુ અવઢવમાં

Next Article