પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો ગુજરાતમાં પણ ગરમાયો, ભાજપ નેતાઓએ રાજ્યપાલને આવેદન પત્ર પાઠવ્યું
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આ મામલે પંજાબના CM અને કોંગ્રેસનું ષડયંત્ર હોવાનું જણાવ્યું છે. તેમણે પંજાબના CMને રાજીનામું આપે તેમજ સોનીયા ગાંધી અને રાહૂલ ગાંધી દેશની માફી માગે એવી માગ કરી છે.
પંજાબમાં(Punjab)બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની(Pm Modi)સુરક્ષામાં ચૂકના મામલે ગુજરાત(Gujarat) પ્રદેશ ભાજપના(BJP) નેતાઓએ રાજ્યપાલ(Governer)આચાર્ય દેવવ્રતને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ,(Cm Bhupendra Patel) રાજ્ય ગૃહપ્રધાન, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના નેતાઓ રાજભવન પહોંચ્યા હતા. જેમાં ભાજપના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે વડાપ્રધાનની સલામતી સાથે ઈરાદાપૂર્વક ચેડા કરાયા હતા.
જ્યારે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આ મામલે પંજાબના CM અને કોંગ્રેસનું ષડયંત્ર હોવાનું જણાવ્યું છે. તેમણે પંજાબના CMને રાજીનામું આપે તેમજ સોનીયા ગાંધી અને રાહૂલ ગાંધી દેશની માફી માગે એવી માગ કરી છે.
આ ઉપરાંત પંજાબમાં પીએમની સુરક્ષામાં રહેલી ઉણપના પડઘા ગુજરાતમાં ઠેર-ઠેર પડ્યા છે. જેમાં અમદાવાદના પાલડીના ટાઉનહોલથી ભાજપ યુવા મોરચાએ મશાલ રેલી કાઢી હતી. તેમજ મોટી સંખ્યામાં જોડાયેલા યુવા ભાજપ કાર્યકરોએ કોંગ્રેસ ભવન સુધી જઈને વિરોધ નોંધાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરના હાટકેશ્વર મંદિરમાં મહામૃત્યુંજય જાપ કરવામાં આવ્યા હતા. તેમજ ગોધરાના બાવાના મઢી વિસ્તારમાં ભાજપ કાર્યકરોએ કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.
જ્યારે સુરતના કંતારેશ્વર શિવાલયમાં મેયર સહિતના ભાજપ આગેવાનો જળાભિષેક કરી વડાપ્રધાનના દીર્ઘાયું માટે પ્રાર્થના કરી હતી. રાજકોટ અને ડાંગમાં પણ પીએમ મોદીના દીર્ઘાયું માટે શિવમંદિરમાં મહામૃત્યુંજના જાપ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશનના આ નિર્ણયથી સોસાયટીના ચેરમેનોએ વ્યક્ત કરી નારાજગી
આ પણ વાંચો : મુંબઈમાં કોરોનાનો ફુંફાડો : માયા નગરીની વર્તમાન કોવિડ પરિસ્થિતિને લઈને વરુણ ધવને શેર કરી ફની પોસ્ટ