સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જીનીવામાં WHO પર કર્યો પ્રહાર, કહ્યું- અમારી ચિંતાઓને અવગણવામાં આવી

|

May 23, 2022 | 11:48 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે ભારતમાં મૃત્યુ નોંધવા માટે એક મજબૂત, કાર્યક્ષમ અને વ્યાપક મિકેનિઝમ છે અને કોવિડને કારણે થયેલા તમામ મૃત્યુ કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને પારદર્શિતા સાથે વ્યવસ્થિત રીતે નોંધવામાં આવ્યા છે, તેથી WHOના મૃત્યુ દર સાથે સહમત નથી.

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જીનીવામાં WHO પર કર્યો પ્રહાર, કહ્યું- અમારી ચિંતાઓને અવગણવામાં આવી
Mansukh Mandaviya
Image Credit source: ANI

Follow us on

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બે વર્ષના અંતરાલ બાદ યોજાઈ રહેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની (World Economic Forum) વાર્ષિક કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. તેમણે સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં 75મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને (World Health Organisation) ઘેરી લીધું. તેમણે કહ્યું કે ભારત અને અન્ય દેશો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાને અવગણીને WHO દ્વારા જે રીતે મૃત્યુદર અંગેનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો અને પ્રકાશિત કરવામાં આવ્યો તેના પર ભારત તેની નિરાશા વ્યક્ત કરે છે. વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya) જણાવ્યું હતું કે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ, જેમાં ભારતના તમામ રાજ્યોના આરોગ્ય પ્રધાનોની રજૂઆત છે, તેણે સર્વસંમતિથી એક ઠરાવ પસાર કર્યો છે, જેમાં હું આ સંદર્ભે તેમની સામૂહિક નિરાશા અને ચિંતા વ્યક્ત કરું છું.

તેમણે કહ્યું કે આ ભારતની પદ્ધતિ અને ડેટાના સ્ત્રોતો પરના વૈધાનિક સત્તાના ચોક્કસ અધિકૃત ડેટાને બાયપાસ કરીને કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે પીએમ મોદીએ રસી અને દવાઓની સમાન પહોંચને સક્ષમ કરવા માટે સ્થિતિસ્થાપક વૈશ્વિક સપ્લાય ચેઈન બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. જણાવી દઈએ કે WHOએ તાજેતરમાં દાવો કર્યો હતો કે ભારતમાં 1 જાન્યુઆરી 2020થી 31 ડિસેમ્બર 2021 વચ્ચે 47 લાખ લોકોના મોત થયા છે, જ્યારે ભારત WHOના આ દાવાને નકારી રહ્યું છે અને તેને અસ્વીકાર્ય અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે.

‘WHOના મૃત્યુ દરના અનુમાન સાથે સહમત નથી’

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે ભારતમાં મૃત્યુ નોંધવા માટે એક મજબૂત, કાર્યક્ષમ અને વ્યાપક મિકેનિઝમ છે અને કોવિડને કારણે થયેલા તમામ મૃત્યુ કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને પારદર્શિતા સાથે વ્યવસ્થિત રીતે નોંધવામાં આવ્યા છે, તેથી WHOના મૃત્યુ દર સાથે સહમત નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના દાવા પર ઘણા નેતાઓએ નિવેદનો પણ આપ્યા છે.

ઘણા નેતાઓએ WHOના દાવાને કાવતરું ગણાવ્યું

પંજાબના આરોગ્ય મંત્રી વિજય સિંગલાએ આરોપ લગાવ્યો કે મૃત્યુ અંગે WHOનું અનુમાન બનાવટી છે અને તેણે તેની યોગ્ય ગણતરી કરી નથી. ભારત પાસે મજબૂત ડેટા કલેક્શન સિસ્ટમ છે અને તેની વિશ્વસનીયતા પર શંકા કરવાનું કોઈ કારણ નથી, એમ તેમણે જણાવ્યું હતું. વૈશ્વિક આરોગ્ય સંસ્થા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ વૈજ્ઞાનિક નથી.

બીજી તરફ મધ્યપ્રદેશના તબીબી શિક્ષણ પ્રધાન વિશ્વાસ સારંગે આરોપ લગાવ્યો કે કોવિડ-19 મોરચે ભારતની સિદ્ધિઓને નીચા મૃત્યુ દરથી લઈને ઉચ્ચ રસીકરણ દર સુધીની સિદ્ધિઓને નબળી પાડવાનું ષડયંત્ર છે. સારંગે કહ્યું કે 20થી 22 આરોગ્ય પ્રધાનોએ સર્વસંમતિથી WHO રિપોર્ટને નકારી કાઢ્યો, જેમાં ભારતીય જનતા પાર્ટીનું જે રાજ્યોમાં શાસન નથી તે રાજ્યોના આરોગ્ય પ્રધાનોનો સમાવેશ થાય છે.

Next Article