National : તહેવારો અને રજાઓની સીઝનના બે અઠવાડિયા પહેલા જ કોરોનાની ત્રીજી લહેર લાવી શકે છે : ICMR
ICMR એ કહ્યું કે વ્યક્તિઓને લાંબા સમય સુધી સૂકી ઉધરસ અથવા સ્વાદ અને ગંધના નુકશાન સહિત કોવિડ જેવા લક્ષણો હોય તો મુસાફરી ન કરવાની સલાહ આપવી જોઈએ.
તહેવારોની (Festivals) મોસમ 2 અઠવાડિયામાં કોરોનાની ત્રીજી લહેર (Third Wave) લાવી શકે છે. કોવિડ -19 (Corona) રોગચાળાની ત્રીજી લહેરની સંભાવના સાથે, ICMR એ મુસાફરી સંબંધિત જોખમોને ઘટાડવા માટે દેશના હરવા ફરવાના-સ્થળ અને રાજ્યો માટે ઘણા પગલાં સૂચવ્યા છે.
ICMR એ કહ્યું, ભારતમાં હજુ પણ ત્રીજી લહેરની તીવ્ર સંભાવના છે, તેમાં સામેલ જોખમોને ઓળખવા અને ઘટાડવા ખુબ જટિલ છે. મુલાકાતીઓ, રહેવાસીઓ અને સ્થાનિક અધિકારીઓ વચ્ચે જવાબદારીની સહિયારી ભાવનાથી જ સમગ્ર રીતે દેશના કલ્યાણની રક્ષા તરફ આગળ વધશે.
ICMR માં ટોચના વૈજ્ઞાનિકો કરવામાં આવેલા અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે તહેવારોની મોસમ દરમિયાન થર્ડ-વેવ 47 ટકા સુધી વધી શકે છે અને બે અઠવાડિયા પહેલા આવી શકે છે. આ અભ્યાસ એવા દૃશ્યને દર્શાવે છે જ્યાં ભારતમાં વસ્તી ગીચતા યુએસએ કરતા ટ્રાન્સમિશન પર વધુ મજબૂત અસર કરે છે. અહીં, રજાનો સમયગાળો ત્રીજી લહેરની ટોચને 103 ટકા સુધી વધારી શકે છે અને ચાર અઠવાડિયા સુધી ઝડપી કરી શકે છે.
ICMR એ કહ્યું કે વ્યક્તિઓને લાંબા સમય સુધી સૂકી ઉધરસ અથવા સ્વાદ અને ગંધના નુકશાન સહિત કોવિડ જેવા લક્ષણો હોય તો મુસાફરી ન કરવાની સલાહ આપવી જોઈએ. તેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં હરવા ફરવાના સ્થળો પર રહેવા માટે સંપૂર્ણ રસીકરણના પુરાવા અથવા તાજેતરના કોવિડ-નેગેટિવ પરીક્ષણ પરિણામની જરૂર પડી શકે છે.
તમામ મુસાફરોએ આગમન પર તેમની સંપર્ક વિગતો પણ નોંધાવવી જોઈએ, જેથી ચેપમાં કોઈ ઉછાળો આવે તો કોન્ટેક્ટ ટ્રેસિંગની સુવિધા મળે. મુલાકાત લેતી વખતે, મુસાફરોને માસ્કનો ઉપયોગ અને સામાજિક અંતર સહિત COVID બિહેવિયરનું પાલન કરવાની સલાહ આપવી જોઈએ.
આ નાના રાજ્યો હિમાચલ પ્રદેશ અને આસામ જેવા લોકપ્રિય પ્રવાસન સ્થળો છે જે હાલમાં દેશના અન્ય સ્થળોએથી મુલાકાતીઓનો ઉછાળો જોઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે, તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં હિમાલયની તળેટીમાં આવેલા મનાલીમાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો હતો.
પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ અને ભારતના ઉત્તર પૂર્વી રાજ્યોમાં આસામ જેવા અન્ય લોકપ્રિય સ્થળોએ પણ આવા જ ઉછાળા જોયા છે. તેમાં વધુમાં નોંધ્યું છે કે એવા વિસ્તારોમાં ટ્રાન્સમિશનની વધતી સંભાવના સૂચવે છે. હિમાચલ પ્રદેશના ડેટા સૂચવે છે કે સામાન્ય તહેવારોની મોસમમાં પ્રવાસન વસ્તીમાં વધારો કરી શકે છે અને આમ વસ્તી ગીચતામાં 40 ટકાનો વધારો થઈ શકે છે.
વૈજ્ઞાનિકોએ પ્રસ્તાવ મૂક્યો કે ” મુસાફરી” કરતાં “જવાબદાર મુસાફરી” ને પ્રાધાન્ય આપવું જોઈએ. “ઓછામાં ઓછા મુલાકાતીઓમાં, માસ્કનો ઉપયોગ અને સામાજિક અંતર જાળવવાથી ટ્રાન્સમિશનના જોખમને ઘટાડવામાં મહત્વની અસર થઈ શકે છે. મુસાફરીની શરતો પણ મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.
આ પણ વાંચો : NEET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, કહ્યુ “પરીક્ષા રદ કરવામાં આવશે નહીં”
આ પણ વાંચો : UP Lakhimpur Violence: ચંડીગઢમાં રાજભવન સામે ધારણા પર બેઠેલા નવજોત સિંહ સિદ્ધૂની પોલીસ દ્વારા ધરપકડ