AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haryana Violence : નૂહમાં ફાટી નિકળેલી હિંસામાં 3ના મોત, 4 જિલ્લામાં 144 લાગુ, ગુરુગ્રામની શાળા-કોલેજ પણ બંધ

ગુરુગ્રામ, ફરીદાબાદ, રેવાડી અને મેવાત જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ હિંસામાં 3 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા છે. નૂહથી શરૂ થયેલી હિંસાની ગુરુગ્રામમાં પણ મોટી અસર પડી છે.

Haryana Violence : નૂહમાં ફાટી નિકળેલી હિંસામાં 3ના મોત, 4 જિલ્લામાં 144 લાગુ, ગુરુગ્રામની શાળા-કોલેજ પણ બંધ
Haryana Violence
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2023 | 10:36 AM
Share

હરિયાણાના નૂહ વિસ્તારમાં હિંસા ફાટી નીકળ્યા બાદ આસપાસના વિસ્તારોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ગુરુગ્રામ, ફરીદાબાદ, રેવાડી અને મેવાત જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ હિંસામાં 3 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા છે. નૂહથી શરૂ થયેલી હિંસાની ગુરુગ્રામમાં પણ મોટી અસર પડી છે, જ્યાં શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. આ સાથે ધારા 144 લાગુ કરવામાં આવી છે.

ગુરુ ગ્રામની શાળા કોલેજો બંધ, ધારા 144 લાગુ

ગુરુગ્રામમાં ઘણી ઓફિસો આવેલી છે ત્યારે રાજધાની દિલ્હી અને NCRમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં રોજની અવર જવર કરતા હોય છે. આ દરમિયાન જિલ્લામાં તણાવની સ્થિતિને કારણે લોકોમાં ભયનો માહોલ છે, આવી સ્થિતિમાં જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જો માત્ર ગુરુગ્રામની વાત કરીએ તો હિંસાને કારણે 1 ઓગસ્ટે જિલ્લાની શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે કે 1 ઓગસ્ટના રોજ તમામ સરકારી-ખાનગી કોલેજો બંધ રહેશે.

ગુરુગ્રામ-સોહના રોડ પર હિંસા

ગુરુગ્રામ-સોહના રોડ પર હિંસા ફાટી નીકળવાના કારણે પોલીસે દરેકને શાંતિ જાળવવાની અપીલ કરી છે. ગુરુગ્રામના ડીસીપી નીતિશ અગ્રવાલે ગત દિવસે નિવેદન આપ્યું હતું કે ગુરુગ્રામમાં પોલીસ તૈનાત છે અને સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ પ્રકારની અફવામાં સામેલ ન થશો અને સોશિયલ મીડિયા પર વાંધાજનક કંઈપણ શેર કરશો નહીં. ગુરુગ્રામની ટ્રાફિક પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ કારણ વગર ઘરની બહાર ન નીકળે, કારણ કે ટ્રાફિકનું તણાવ ખૂબ વધારે છે.

નૂહમાં કેમ ભડકી હિંસા ?

  •  એક સરઘસ પર પથ્થરમારો બાદ નૂહ વિસ્તારમાં ભારે હંગામો થયો હતો. આ હિંસામાં બે હોમગાર્ડ અને એક નાગરિકનું મોત થયું હતું, જ્યારે અડધો ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા.
  • નૂહથી શરૂ થયેલો હોબાળો ફરીદાબાદ, ગુરુગ્રામ અને સોહના સુધી પહોંચ્યો હતો. રાજ્યના ચાર જિલ્લામાં પોલીસે કલમ 144 લાગુ કરી છે, લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.
  • રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી વધારાના સુરક્ષા દળની માંગ કરી છે, શરૂઆતમાં લગભગ 20 RAF કંપનીઓ મોકલવામાં આવી રહી છે.
  • નુહમાં હિંસાને કારણે ઈન્ટરનેટ સેવાઓ બુધવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ફરીદાબાદ, મેવાત જિલ્લામાં પણ શાળા અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે.

    દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
g clip-path="url(#clip0_868_265)">