જ્ઞાનવાપી કેસમાં (Gyanvapi case) સોમવારે બે કોર્ટમાં અલગ-અલગ કેસની સુનાવણી થવાની છે. જિલ્લા ન્યાયાધીશ (District Judge) કોર્ટમાં શૃંગાર ગૌરીના મૂળ કેસમાં મેરિટના આધારે પ્રતિવાદી પક્ષના એડવોકેટ પોતાનો પક્ષ રજૂ કરશે. જ્ઞાનવાપીમાં હિંદુઓને પૂજાનો અધિકાર આપવાના મામલાની સુનાવણી સિવિલ જજ (ફાસ્ટ ટ્રેક કોર્ટ)ની કોર્ટમાં શરૂ થશે. બીજી તરફ, જિલ્લા ન્યાયાધીશની અદાલત જ્ઞાનવાપી પરિસરના સર્વેને (Survey of Gyanvapi premises) લગતા વિડિયો ફૂટેજ, ફોટોગ્રાફ્સ વગેરે પક્ષકારોને સોંપી શકે છે.
નોંધનીય છે કે 18 ઓગસ્ટ, 2021ના રોજ દિલ્હીની રાખી સિંહ સહિત પાંચ મહિલાઓએ સિવિલ જજની કોર્ટમાં જ્ઞાનવાપી સંકુલમાં (Gyanvapi Masjid) શૃંગાર ગૌરી સહિત અન્ય દેવતાઓની પૂજા કરવાના અધિકારની માગણી કરતી અરજી દાખલ કરી હતી. કોર્ટના આદેશ પર કોર્ટ કમિશનની કાર્યવાહી જ્ઞાનવાપી કેમ્પસમાં થઈ હતી, જેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીના વિરોધમાં, મુસ્લિમ પક્ષે સર્વોચ્ચ અદાલતને મૂળ કેસના ગુણદોષ પર સર્વે અને સુનાવણી અટકાવવાની માંગ કરી હતી.
સર્વોચ્ચ અદાલતે મેરિટ પર સુનાવણી કરવાનો ઇનકાર કરતાં ટ્રાયલને જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી. જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં મેરિટ મુદ્દે સુનાવણી 26 મેથી શરૂ થઈ છે. તે દિવસે મુસ્લિમ પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ અભયનાથ યાદવે સતત બે કલાક સુધી પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. કોર્ટે દલીલો રજૂ કરવાની તારીખ 30 મે નક્કી કરી હતી. સોમવારે મુસ્લિમ પક્ષના વકીલો તેમની દલીલો રજૂ કરશે.
1. જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં મેરિટ પર સુનાવણી દરમિયાન, મુસ્લિમ પક્ષના એડવોકેટ અભયનાથ યાદવે સતત બે કલાક સુધી પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. આજે વધુ દલીલો કરશે.
2. મેરિટ પર સુનાવણી દરમિયાન, દલીલો પૂર્ણ ન થવાને કારણે કોર્ટે 30 મેની તારીખ નક્કી કરી હતી. સોમવારે મુસ્લિમ પક્ષના વકીલો તેમની દલીલો રજૂ કરશે.
શ્રૃંગાર ગૌરી કેસમાં વાદી રાખી સિંહના કાકા અને વિશ્વ વૈદિક સનાતન સંઘના વડા જિતેન્દ્ર સિંહ બિસેનની પત્ની કિરણ સિંહે 24 મેના રોજ જ્ઞાનવાપીમાં સિવિલ જજ રવિ કુમાર દિવાકરની કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં દર્શન-પૂજા કરવા દેવા, મુસલમાનોનો પ્રવેશ અટકાવી મસ્જિદ સોંપવાની માંગ છે. કોર્ટે સુનાવણીની તારીખ 25 મે નક્કી કરી હતી. સુનાવણી શરૂ થવાની થોડી મિનિટો પહેલાં, જજે દાવો સિવિલ જજ (ફાસ્ટ ટ્રેક કોર્ટ) મહેન્દ્ર પાંડેની કોર્ટમાં ટ્રાન્સફર કર્યો. ફાસ્ટ ટ્રેક કોર્ટે સુનાવણીની તારીખ 30 મે નક્કી કરી છે.