સિંહોના સ્થળાંતર માટે નિષ્ણાતો ભાર મૂકી રહ્યા છે. વડાપ્રધાન મોદી દ્વારા પણ પ્રોજેકટ લાયનની જાહેરાત કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત સિંહોના સ્થળાંતર માટેના સ્થળ શોધી કઢાયા છે. સિંહોના સ્થળાંતર માટે દેહરાદુન સ્થિત વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા અને ગુજરાત વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ રિપોર્ટ મુજબ સિંહોના સ્થળાંતર માટેના 6 સ્થળ શોધી કાઢવામાં આવ્યા છે.આ 6 સ્થળોમાં 3 રાજસ્થાન, 2 મધ્યપ્રદેશ અને 1 ગુજરાતના સ્થળનો સમાવેશ થાય છે. ગુજરાતમાં અંબાજી પાસે આવેલું જેસોર બાલારામ રણ , મધ્યપ્રદેશનું મુકુંદરા હિલ, સિતામાતા અભ્યારણ્ય,કુંભલ ગઢ સેન્ચુરી , રાજસ્થાનનું ગાંધીસાગર જંગલ અને માધવ નેશનલ પાર્ક નક્કી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સિંહોને મધ્યપ્રદેશના કુનો પાલપોરમાં ખસેડવાનો પ્રોજેક્ટ વર્ષોથી ચાલે છે. આપને જણાવી દઇએ કે એક જ જગ્યાએ એક સરખા વાતાવરણથી સિંહો નબળા પડતા હોવાનું તારણ કઢાયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો