
ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતેથી રવાના કરવામાં આવેલ ખાસ ટ્રેનમાં ઘઉંથી માંડીને કપડા સુધીની વિવિધ ચીજ વસ્તુઓનો સમાવેશ 22 વેગન સાથેની આ ટ્રેનમાં કરવામાં આવ્યો છે.

પંજાબના પૂરગ્રસ્તો માટે મોકલેલ રાહત સમગ્રી ઉપરાંત, ગુજરાત રાજ્ય તરફથી, છત્તીસગઢના પૂર અસરગ્રસ્ત વિસ્તારો માટે પણ જીવન જરૂરિયાતની અંદાજે 8 હજાર જેટલી રાહત કીટ મોકલવામાં આવી છે. જેમાં પણ અનાજ, વિવિધ ખાદ્યખોરાક તેમજ દવા અને અન્ય ચીજવસ્તુનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાના વરસાદ આપત્તિગ્રસ્ત વિસ્તારોની પણ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પ્રભારી મંત્રીઓ સાથે મુલાકાત લઈને જિલ્લા તંત્રની કામગીરીની સમિક્ષા કરવા સાથે જરૂરી માર્ગદર્શન પણ આપવાના છે.