ખેડૂતો માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ ઉભી થઈ છે. જામનગર જિલ્લામાં આકાશી આફત બાદ ખેડૂતો માથે વધુ એક આફત આવી છે. કપાસના પાકમાં લાલ ઈયોળો આવી જતાં ખેડૂતોને મોટાપાયે નુક્સાન જવાની ભીતિ છે. લાલ ઈયળના હુમલાથી કપાસના પાકમાં સૌથી વધુ લાલપુર તાલુકામાં નુક્સાન થયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : નાગરિકતા કાયદો લાગુ કરવા અંગે કોઈ રાજ્ય ઈનકાર કરી શકે? જાણો કેન્દ્રનો જવાબ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ઈયળોના આતંકથી પાકને બચાવવા ખેડૂતો મોંઘા ભાવની દવાનો છંટકાવ પણ કરી રહ્યાં છે. છતાં ઈયળોના ત્રાસથી પાકને બચાવવામાં ખેડૂતો નિષ્ફળ રહ્યાં છે. બીજી તરફ ખેડૂતોએ કપાસના ઉત્પાદન પાછળ કરેલો ખર્ચ પણ ઉભો થાય તેમ ન હોવાથી જગતનો તાત ચિંતામાં ગરકાવ થયો છે. ધરતીપુત્રો હવે સરકાર પાસે સહાયની આશા રાખી બેઠા છે.
Published On - 6:15 pm, Fri, 13 December 19