કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગ અને શહેરી આવાસ વિભાગ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણના જાહેર કરાયેલા પરીણામમાં સુરત શહેર સમગ્ર દેશમાં બીજા ક્રમાકે રહ્યું છે. દેશના પ્રથમ ક્રમાકે મધ્યપ્રદેશનુ ઈન્દોર અને ત્રીજા ક્રમાકે નવી મુંબઈ આવ્યુ છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હાથ ધરાયેલા સર્વેક્ષણમાં 4242 શહેરનો સમાવેશ કરાયો હતો. જેમાં 1.47 કરોડ લોકોને સામેલ કરાયા હતા. 40 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં અમદાવાદ સ્વચ્છ મેગાસિટી જાહેર કરાયું છે. તો ગાંધીનગરને ઈનોવેશન અને બેસ્ટ પ્રેકટીસ પાટનગર જાહેર કરાયું છે. 10થી 40 લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરોમાં રાજકોટને બેસ્ટ સેલ્ફ સસ્ટેનેબલ મોટા શહેર તરીકે પંસદ કરાયું છે. કેન્દ્રીય પ્રધાન હરદીપ પૂરીએ, સુરતના રહીશોને સ્વચ્છથા જાળવી રાખવા અંગે અભિનંદન પાઠવ્યા છે. તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ સ્વચ્છતા અંહે લોકજાગૃતિ ફેલાવવા અને લોકો તેને અનુસરે તે માટે કરાયેલા પ્રયાસો અને કામગીરીને બિરદાવી હતી.
આ પણ વાંચોઃજામનગરના કાલાવડમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપના આંચકાથી ગભરાટ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 10:24 am, Thu, 20 August 20