
દેશમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ખરીદવા વિશે વિચારી તો રહ્યા છે, પણ તેમની સામે એક બહુ મોટો પ્રશ્ન આવીને ઊભો રહી જાય છે કે – “જો રસ્તામાં ચાર્જિંગ પૂરું થઈ જશે તો શું કરીશું?” મોટા શહેરોમાં તો જેમ-તેમ કરીને ચાર્જિંગ સ્ટેશન મળી જાય છે, પરંતુ નાના શહેરો અને હાઇવે પર હજુ પણ આ મોટો પડકાર છે. આ જ ડર અને સસ્પેન્સનો કાયમી અંત લાવવા માટે સરકારે હવે એક મોટો એક્શન પ્લાન જાહેર કર્યો છે.
સરકારે ઇલેક્ટ્રિક વાહનોના માર્કેટને એક નવો વળાંક આપવા માટે ‘પીએમ ઇ-ડ્રાઇવ’ (PM E-DRIVE) યોજના હેઠળ દેશના આઠ મોટા રાજ્યોમાં 4800 નવા ઇવી ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવાનો આદેશ આપ્યો છે. આ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે આ સ્ટેશનો માત્ર સામાન્ય ચાર્જિંગ પોઇન્ટ નહીં હોય, પરંતુ આમાં હાઇ-સ્પીડ ચાર્જર પણ લગાવવામાં આવશે, જેથી તમારું વાહન મિનિટોમાં ચાર્જ થઈ જાય.
આ યોજના અંતર્ગત સરકારે કરોડો રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. આ યોજના અંતર્ગત સરકારે કરોડો રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. ચાલો જોઈએ કયા રાજ્યમાં કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે:
સરકાર આ ચાર્જિંગ સ્ટેશનો એવી જગ્યાઓ પર બનાવવા જઈ રહી છે જ્યાં સામાન્ય માણસ સરળતાથી પહોંચી શકે, જેમ કે હાઇવે, એક્સપ્રેસવે, પેટ્રોલ પંપ અને મોટા જાહેર સ્થળો.
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ કામ પૂરું ક્યારે થશે? સરકારે આ યોજનાના પહેલા તબક્કા માટે ₹500 કરોડ મંજૂર કર્યા છે અને આ આખા પ્રોજેક્ટને માત્ર 6 મહિનાની અંદર જ પૂરો કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. એટલે કે આગામી થોડા જ મહિનાઓમાં નાના શહેરોના લોકો પણ કોઈપણ ચિંતા વગર લાંબી મુસાફરી પર નીકળી શકશે અને ગ્રીન મોબિલિટી નેટવર્ક મજબૂત બનશે.