AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaccination : દેશમાં સગર્ભા મહિલાઓને પણ અપાશે કોરોના વેક્સિન, તૈયારીઓમાં લાગી સરકાર

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને વિશેષ સમિતિ તરફથી સગર્ભા સ્ત્રીઓને કોરોના રસી(Vaccine) આપવાની ભલામણ મળી છે.આ ભલામણોના આધારે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે.

Vaccination : દેશમાં સગર્ભા મહિલાઓને પણ અપાશે કોરોના વેક્સિન, તૈયારીઓમાં લાગી સરકાર
દેશમાં સગર્ભા મહિલાઓને પણ અપાશે કોરોના વેક્સિન
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2021 | 4:03 PM
Share

અમેરિકા અને બ્રિટનની જેમ ભારત પણ સગર્ભા મહિલા(Preganat Women) ઓને કોરોના રસી(Vaccine) આપવાનો માર્ગ મોકળો થઇ શકે છે. કેન્દ્ર સરકારે હજી સુધી ફક્ત સ્તનપાન કરાવતી મહિલાઓને કોરોના રસીકરણમાં સમાવિષ્ટ કરવાની મંજૂરી આપી છે. પરંતુ ટૂંક સમયમાં સરકાર સગર્ભા મહિલા(Preganat Women)ઓ અંગે અલગ માર્ગદર્શિકા બહાર પાડવા જઇ રહી છે. જેમાં જાણવા મળ્યું છે કે એક થી બે અઠવાડિયા વચ્ચે સરકાર રાજ્યોને આ અંગે સૂચના આપી શકે છે.

ભલામણોના આધારે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને વિશેષ સમિતિ તરફથી સગર્ભા સ્ત્રી(Preganat Women)ઓને રસી આપવાની ભલામણ મળી છે. જેના આધારે મંત્રાલયમાં હાજર રસીકરણ વિભાગ તેની માર્ગદર્શિકા તૈયાર કરવામાં વ્યસ્ત છે.રસીકરણ અધિકારીઓ આ અંગે સંમત થયા છે અને કહ્યું છે કે ભલામણોના આધારે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે. આ અંતર્ગત સગર્ભા સ્ત્રીઓને કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુટનિક- વી રસી(Vaccine) મેળવી શકશે.

અમેરિકા સહિત ઘણા દેશોમાં મંજૂરી

યુ.એસ., યુકે, ઇઝરાઇલ અને બેલ્જિયમ જેવા દેશોમાં સગર્ભા સ્ત્રીઓની રસીકરણને અગ્રતાની સૂચિમાં મૂકવામાં આવી છે. આ સિવાય વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ વચગાળાના અહેવાલ દ્વારા સગર્ભા સ્ત્રીઓને રસી આપવાની સલાહ પણ આપી છે. તેઓ માને છે કે સગર્ભા સ્ત્રી(Preganat Women)ઓ કે જેમને અન્ય કોઈ ગંભીર રોગ છે અને કોરોના ચેપનું ઉચ્ચ જોખમ છે તેમને રસી આપી શકાય છે.

ડબ્લ્યુએચઓ અને અભ્યાસના આધારે માર્ગદર્શિકા બનાવવામાં આવી રહી છે

મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ઘણા દેશોએ ગર્ભવતી માતા માટે રસીકરણને પ્રાધાન્ય આપ્યું છે. આને ધ્યાનમાં રાખીને અને અમારી રસીઓની સલામતી પ્રોફાઇલના સખત અભ્યાસ પછી નિષ્ણાત સમિતિએ સગર્ભા સ્ત્રીને કોરોના રસીકરણ માટે પાત્ર બનવાની ભલામણ કરી છે.

દેશોના અનુભવને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા

તેમણે માહિતી આપી હતી કે ડબ્લ્યુએચઓ(WHO)સહિતના અન્ય અભ્યાસ અનુસાર માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે. અત્યાર સુધી, સગર્ભા સ્ત્રીઓ વિશે મર્યાદિત અધ્યયનો બહાર આવ્યા છે, પરંતુ રસીકરણ પહેલાથી જ થઈ રહ્યું છે તેવા દેશોના અનુભવને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે.

28 મેના રોજ ભલામણ આપવામાં આવી છે

28 મી મેના રોજ રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથની બેઠકમાં સગર્ભા સ્ત્રીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. તે દરમ્યાન નિષ્ણાતોએ આ મહિલાઓ માટે રસી ઉપલબ્ધ કરાવવાની ભલામણ કરી હતી. જ્યારે મંત્રાલયમાંથી માહિતી પ્રાપ્ત થઈ છે કે આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવની દેખરેખ હેઠળ રચાયેલી બીજી કમિટીએ પણ આવી ભલામણો કરી છે. જેના આધારે આગળની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">