AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ગુલામ’ હવે કોંગ્રેસથી ‘આઝાદ’,ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

'ગુલામ' હવે કોંગ્રેસથી 'આઝાદ',ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું
‘ગુલામ’ હવે કોંગ્રેસથી ‘આઝાદ’,ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું Image Credit source: Tv9 Graphics Team
| Updated on: Aug 26, 2022 | 1:05 PM
Share

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પણ પાર્ટી છોડી દીધી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા (Congress leader ) લાંબા સમયથી તેમની જવાબદારીઓથી સંતુષ્ટ ન હતા. તેમણે પાર્ટીને ઘણી વખત ચેતવણી પણ આપી હતી કે તેમને જે જવાબદારીઓ આપવામાં આવી છે તે પાર્ટીમાં તેમના કદ પ્રમાણે નથી. ગુલામના રાજીનામાને જમ્મુ-કાશ્મીર સહિત રાષ્ટ્રીય સ્તરે પાર્ટી માટે મોટું નુકસાન માનવામાં આવે છે.અગાઉ 16 ઓગસ્ટના રોજ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad )ને કેન્દ્રશાસિત પ્રદેશમાં પાર્ટીની પ્રચાર સમિતિના વડા તરીકે નિયુક્ત કર્યા હતા, પરંતુ આઝાદે આ ઓફર ઠુકરાવી દીધી હતી.

રાહુલ જવાબદાર

પાર્ટીમાંથી પોતાના રાજીનામામાં ગુલામ નબીએ પાર્ટીની દુર્દશા માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે, પાર્ટીના તમામ નિર્ણયો રાહુલ ગાંધી લઈ રહ્યા છે અને પાર્ટીમાં નવા અધ્યક્ષના ચૂંટણીનો ખેલ ચાલી રહ્યો છે.

પાર્ટીના નવા અધ્યક્ષ પણ કઠપૂતળી હશે

ગુલામે 5 પેજમાં પાર્ટીમાંથી રાજીનામું આપીને ગંભીર સવાલો ઉઠાવ્યા છે.તેમણે કોંગ્રેસના નેતૃત્વ પર અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે પાર્ટીના નવા અધ્યક્ષ પણ કઠપૂતળી હશે. નબીએ પાર્ટી પર તમામ મોટા નેતાઓને સાઈડલાઈન કરવાનો આરોપ પણ લગાવ્યો છે.આઝાદ કોંગ્રેસના ‘G23’ જૂથના અગ્રણી સભ્ય છે. જૂથ પક્ષના નેતૃત્વની ટીકા કરી રહ્યું છે અને સંગઠનાત્મક ફેરફારની માંગ કરી રહ્યું છે.રાજ્યસભામાંથી નિવૃત્ત થયા બાદ આઝાદને ફરીથી ઉપલા ગૃહમાં મોકલવામાં આવ્યા ન હતા.

 

Follow Us
તમે ધીરજનો અભાવ અનુભવી શકો છો, વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે
તમે ધીરજનો અભાવ અનુભવી શકો છો, વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઠપ્પ: ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર
ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઠપ્પ: ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર
મોરબી મનપામાં હાજરી કૌભાંડનો 'પર્દાફાશ', 8 કર્મચારી સામે નોંધાઈ ફરિયાઈ
મોરબી મનપામાં હાજરી કૌભાંડનો 'પર્દાફાશ', 8 કર્મચારી સામે નોંધાઈ ફરિયાઈ
બાબરા હત્યા કેસમાં મોટો ખુલાસો: સમાધાનના બહાને બોલાવી યુવકની હત્યા
બાબરા હત્યા કેસમાં મોટો ખુલાસો: સમાધાનના બહાને બોલાવી યુવકની હત્યા
રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા હોવાનો 'વાયરલ વીડિયો'માં આક્ષેપ
રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા હોવાનો 'વાયરલ વીડિયો'માં આક્ષેપ
મોરબીમાં સાવર તળાવ પાસે ચાલશે બુલડોઝર: 180 ગેરકાયદે દબાણોને આખરી નોટિસ
મોરબીમાં સાવર તળાવ પાસે ચાલશે બુલડોઝર: 180 ગેરકાયદે દબાણોને આખરી નોટિસ
PM મોદી, આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગરમાં કરશે રાત્રીરોકાણ
PM મોદી, આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગરમાં કરશે રાત્રીરોકાણ
PM મોદીની હાજરીમાં ગુંજશે ‘હર હર મહાદેવ’, યોજાશે ભવ્ય એર શો, જુઓ Video
PM મોદીની હાજરીમાં ગુંજશે ‘હર હર મહાદેવ’, યોજાશે ભવ્ય એર શો, જુઓ Video
Breaking News : યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો નિર્ણય મોકૂફ
Breaking News : યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો નિર્ણય મોકૂફ
g clip-path="url(#clip0_868_265)">