કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની જાહેરાત, અફઘાનિસ્તાનથી ભારત પરત આવતા લોકોને પોલિયોની ફ્રીમાં રસી અપાશે

|

Aug 22, 2021 | 4:01 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કર્યું, અમે અફઘાનિસ્તાનથી પરત આવતા લોકોને 'વાઈલ્ડ પોલિયો વાયરસ' સામે રક્ષણ મેળવવા માટે મફત પોલિયો રસી - OPV અને FIPV આપવાનું નક્કી કર્યું છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની જાહેરાત, અફઘાનિસ્તાનથી ભારત પરત આવતા લોકોને પોલિયોની ફ્રીમાં રસી અપાશે
Union Health Minister Mansukh Mandaviya

Follow us on

અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાને (Taliban) કબજો કર્યા બાદ સ્થિતિ વણસી ગઈ છે. અફઘાનિસ્તાનમાંથી ભારતીયો પરત ફરી રહ્યા છે. આ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી (Union Health Minister) મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya) રવિવારે જણાવ્યું હતું કે, ભારતે સાવચેતીના પગલા તરીકે અફઘાનિસ્તાનથી પરત આવતા લોકોને પોલિયો વાયરસ સામે મફત રસી આપવાનો નિર્ણય કર્યો છે.

મંત્રીએ ટ્વિટર પર એક તસવીર પણ શેર કરી હતી, જેમાં યુદ્ધગ્રસ્ત દેશમાંથી પરત આવતા લોકોને દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રસી આપવામાં આવતી જોઈ શકાય છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વિશ્વના એકમાત્ર એવા બે દેશો છે જ્યાં પોલિયો હજુ પણ કોઈ ચોક્કસ સ્થળે અથવા લોકોના જૂથમાં નિયમિતપણે જોવા મળતો રોગ છે. માંડવિયાએ ટ્વિટ કર્યું, ‘અમે વાઇલ્ડ પોલિયો વાયરસ’ સામે સાવચેતી રૂપે અફઘાનિસ્તાનથી પરત આવતા લોકોને મફત પોલિયો રસી – OPV અને FIPV આપવાનું નક્કી કર્યું છે.

168 લોકોને આજે કાબુલથી ભારત લાવવામાં આવ્યા હતા

તેમણે કહ્યું કે, ‘જાહેર આરોગ્ય સુનિશ્ચિત કરવાના તેમના પ્રયત્નો માટે આરોગ્ય ટીમને અભિનંદન.’ અફઘાનિસ્તાનની રાજધાનીમાં કથળતી સુરક્ષા સ્થિતિ વચ્ચે ભારતે રવિવારે લશ્કરી વિમાનમાં 107 ભારતીયો સહિત 168 લોકોને કાબુલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તાલિબાને એક સપ્તાહ પહેલા કાબુલ પર કબજો કર્યો હતો. ભારતે અગાઉ ભારતીય વાયુસેનાના પરિવહન વિમાન C-17 દ્વારા કાબુલમાં ભારતીય રાજદૂત અને તેના દૂતાવાસના અન્ય કર્મચારીઓ સહિત 200 લોકોને બહાર કાઢ્યા હતા.

કાબુલ એરપોર્ટ પરથી પોતપોતાના દેશોના લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. કાબુલ એરપોર્ટ પર આજે પણ સાતમા દિવસે ભીડ એકઠી થઈ રહી છે, લોકો અફઘાનિસ્તાન છોડવા માટે મરણિયા પ્રયાસ કરે છે. અફઘાનિસ્તાનના સાંસદ નરેન્દ્ર સિંહ ખાલસા કાબુલથી ભારત પહોંચતા જ રડી પડ્યા. તેણે કહ્યું, ‘મને રડવાનું મન થાય છે, છેલ્લા 20 વર્ષમાં જે પણ બાંધવામાં આવ્યું હતું તે હવે સમાપ્ત થઈ ગયું છે. હવે બધું શૂન્ય છે.’

બ્રિટીશ સૈન્યનું કહેવું છે કે કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક ટોળામાં સાત અફઘાન નાગરિકો માર્યા ગયા છે. સંરક્ષણ મંત્રાલયે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જમીન પરની પરિસ્થિતિઓ અત્યંત પડકારજનક રહે છે, પરંતુ અમે પરિસ્થિતિને શક્ય તેટલી સલામત અને સુરક્ષિત રીતે સંચાલિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.

 

આ પણ વાંચો :

Amarnath yatra 2021: અમરનાથ યાત્રા પુરી થઈ, રક્ષાબંધન પર્વ પર બાબા બર્ફાનીની ગુફામાં પહોચી છડી મુબારક

આ પણ વાંચો :

Deepika Padukone એ લાલ ડ્રેસમાં જીત્યું ચાહકોનું દિલ, રણવીર સિંહનો લુક પણ નથી કોઈથી ઓછો

Next Article