AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમશેદપુરમાં ટાટા સ્ટીલ પ્લાન્ટમાં મોટો બ્લાસ્ટ, લાગી ભીષણ આગ

આ અકસ્માતનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં દૂર દૂરથી ધુમાડાના ગોટેગોટા જોઈ શકાય છે. ધુમાડા પરથી અંદાજ લગાવી શકાય છે કે આગ કેટલી ભીષણ લાગી છે. હાલમાં ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓના વાહનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે હાજર છે.

જમશેદપુરમાં ટાટા સ્ટીલ પ્લાન્ટમાં મોટો બ્લાસ્ટ, લાગી ભીષણ આગ
Fire breaks out at Tata Steel plant in JamshedpurImage Credit source: ANI
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2022 | 5:44 PM
Share

ઝારખંડમાં (Jharkhand) ટાટા સ્ટીલના (Tata Steel Plant) જમશેદપુર (Jamshedpur) પ્લાન્ટના કોક વિભાગમાં જોરદાર વિસ્ફોટ થયો છે. બ્લાસ્ટ બાદ પ્લાન્ટની અંદર પણ મોટી આગ ફાટી નીકળી હતી. અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જો કે હજુ સુધી કોઈના મોત અંગે કોઈ માહિતી નથી. કહેવામાં આવી રહ્યું છે કે કથિત રીતે બેટરી વિસ્ફોટના કારણે પ્લાન્ટમાં આગ લાગી હતી. પાંચ ફાયર ફાઈટર ઘટનાસ્થળે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઘાયલોને તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવ્યા: મુખ્યમંત્રી હેમંત સોરેન

પ્લાન્ટમાં આગની માહિતી મળ્યા બાદ મુખ્યમંત્રી હેમંત સોરેને પ્રશાસનને જરૂરી સૂચનાઓ આપી છે. સીએમ હેમંત સોરેને ટ્વીટ કરીને કહ્યું છે કે, જમશેદપુરના ટાટા સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટની જાણ થઈ છે. જિલ્લા વહીવટીતંત્ર, ટાટા સ્ટીલ મેનેજમેન્ટ સાથે સંકલનમાં, ઘાયલોની ઝડપી સારવાર માટે પગલાં લઈ રહ્યું છે.

આકાશમાં ધુમાડાના ગોટેગોટા

આ અકસ્માતનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં દૂર દૂરથી ધુમાડાના ગોટેગોટા જોઈ શકાય છે. ધુમાડા પરથી અંદાજ લગાવી શકાય છે કે આગ કેટલી ભીષણ લાગી છે. હાલમાં ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓના વાહનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે હાજર છે. પ્લાન્ટની અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ટીમ કામ કરી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ છે, કારણ કે પ્લાન્ટમાંથી ગેસ લીકેજની પણ વાત છે. અંદર રહેલા કર્મચારીઓને બહાર કાઢીને સીધા હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. આગ બપોરે 12 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. અકસ્માત બાદની તાજેતરની સ્થિતિ અંગે હાલમાં વહીવટીતંત્ર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">