પશ્ચિમ બંગાળના સીએમ-રાજ્યપાલ વચ્ચેની લડાઈ સોશિયલ મીડિયામાં પહોચી, મમતાએ ટ્વિટર પર ધનખરને કર્યા બ્લોક

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યપાલ જગદીપ ધનખરને ટ્વિટર પર બ્લોક કર્યા છે. મમતાએ કહ્યું કે રાજ્યપાલ જગદીપ ધનખડ દ્વારા મારી સરકાર વિરુદ્ધ કરાતા સતત ટ્વિટથી પરેશાન થઈને મેં તેમને ટ્વિટર પર બ્લોક કરી દીધા છે.

પશ્ચિમ બંગાળના સીએમ-રાજ્યપાલ વચ્ચેની લડાઈ સોશિયલ મીડિયામાં પહોચી, મમતાએ ટ્વિટર પર ધનખરને કર્યા બ્લોક
Bengal Governor Reply Mamata Tweet
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2022 | 8:58 PM

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્યપાલ જગદીપ ધનખર વચ્ચેને અણબનાવ જાણીતો છે. સોમવારે બંનેની લડાઈ સોશિયલ મીડિયા સુધી પહોંચી હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યપાલ ધનખરને ટ્વિટર પર બ્લોક કરી દીધા છે. કદાચ આ પહેલીવાર હશે કે જ્યારે કોઈ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તે જ રાજ્યના રાજ્યપાલને સોશિયલ મીડિયા પર બ્લોક કર્યા હોય.

ટ્વિટર પર બ્લોક કર્યાની જાણકારી ખુદ મમતા બેનર્જીએ આપી છે. તેમણે કહ્યું કે મારી સરકાર વિરુદ્ધ રાજ્યપાલ જગદીપ ધનખરના સતત ટ્વિટથી પરેશાન થઈને મેં તેને ટ્વિટર પર બ્લોક કરી દીધા છે. બેનર્જીએ કહ્યું કે ધનખરે મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને ઘણી વખત ધમકી આપી છે. મમતાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘણી વખત પત્ર લખીને રાજ્યપાલ ધનખરને પશ્ચિમ બંગાળમાંથી હટાવવાની વિનંતી કરી છે, પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

મમતા સરકાર સામે રાજ્યપાલનું તીક્ષ્ણ વલણ રાજ્યપાલ જગદીપ ધનખર મમતા સરકાર પર સતત પ્રહાર કરતા રહ્યાં છે. ક્યારેક પબ્લિક પ્લેટફોર્મ, ક્યારેક ઓફિશિયલ ચેનલો અને ક્યારેક ટ્વિટર દ્વારા તે પશ્ચિમ બંગાળ સરકાર પર નિશાન સાધતા રહે છે. એક દિવસ પહેલા રવિવારે જ તેણે કહ્યું હતું કે તેઓ રાજ્યમાં માનવાધિકારના ઉલ્લંઘનની ઘટનાઓ અને હિંસાના પૂરને જોઈ શકતા નથી. ધનખરે કહ્યું કે કોઈપણ પ્રકારનું ‘અપમાન’ તેમને તેમની ફરજ બજાવવાથી રોકી શકે નહીં. તેમણે વધુમાં કહ્યું કે હિંસા અને લોકશાહી સાથે ચાલી શકે નહીં.

રાષ્ટ્રપતિ સમક્ષ, રાજ્યપાલને હટાવવા TMC સાંસદે કરી માગ બીજી બાજુ, TMC સાંસદ સુદીપ બંદોપાધ્યાયે સોમવારે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને રાજ્યપાલ જગદીપ ધનખર વચ્ચેના ઝઘડા વચ્ચે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સમક્ષ, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ધનખરને હટાવવાની માંગ કરી હતી. સુદીપ બંદોપાધ્યાયે કહ્યું કે જ્યારે તેમણે રાષ્ટ્રપતિ કોવિંદને રાજ્યપાલને હટાવવા માટે વિનંતી કરી ત્યારે તેઓ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ સાથે પણ હાજર હતા. સંસદનું બજેટ સત્ર સોમવારથી શરૂ થયું છે. રાષ્ટ્રપતિ કોવિંદ તેની સંયુક્ત બેઠકને સંબોધવા માટે સંસદ ભવન પહોંચ્યા હતા. આ દરમિયાન સુદીપ બંદોપાધ્યાય તેમને મળ્યા હતા. આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

Uttar Pradesh Election: નોઈડામાં પ્રિયંકા ગાંધીએ ઘરે-ઘરે જઈને કોંગ્રેસના ઉમેદવાર માટે વોટ માંગ્યા, વિરોધીઓ પર કર્યા પ્રહાર

Latest News Updates

કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
g clip-path="url(#clip0_868_265)">