Farmers Protest : કિસાન બીલના વિરોધમાં ખેડુતો દ્વારા દિલ્હીની સરહદ પર વિરોધ પ્રદર્શનનો કરવામાં આવી રહ્યા છે જેનો આજે 42 મો દિવસ છે. ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે આગામી વાતચીત 8 મી જાન્યુઆરીએ યોજાવાની છે, આ પહેલા ખેડૂતોએ 7 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ કરવાની જાહેરાત પણ કરી છે.
અમે ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ : કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર
કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે જણાવ્યું હતું કે અમે ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ. અમે એવા લોકોને મળી રહ્યા છીએ જે કાયદાના સમર્થનમાં છે અને કાયદાની વિરોધમાં છે. મને ખાતરી છે કે આંદોલન કરનારા ખેડૂત સંગઠનો ખેડૂતો વિશે વિચાર કરશે અને સમાધાન શોધી કાઢશે.
We're committed to the welfare of farmers. We meet those who're supporting the laws & those opposing it. I am sure that farmers unions who are agitating will think about the welfare of farmers and actively arrive at a solution: Narendra Singh Tomar, Union Agriculture Minister pic.twitter.com/k2BDBUxvgl
— ANI (@ANI) January 6, 2021
Published On - 6:07 pm, Wed, 6 January 21