Farmers Agitation: ખેડૂતોની દિલ્હી બોર્ડર પર ટ્રેક્ટર રેલી, લાંબો સમય આંદોલન કરવા તૈયાર

|

Jan 07, 2021 | 7:17 PM

દિલ્હીની સરહદ પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન સ્થળ સિંધુ ટેકરી અને ગાજીપુર બોર્ડર પરથી ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું હતું.

Farmers Agitation: ખેડૂતોની દિલ્હી બોર્ડર પર ટ્રેક્ટર રેલી, લાંબો સમય આંદોલન કરવા તૈયાર

Follow us on

દિલ્હીની સરહદ પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન સ્થળ સિંધુ ટેકરી અને ગાજીપુર બોર્ડર પરથી ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું હતું. આ અંગે ભારતીય ખેડૂત એકતાના પ્રમુખ જોગીનદરસિંહ ઉગરાએ કહ્યું કે 3,500 વધારે ટ્રેક્ટરો અને ટ્રોલીઓ સાથે ખેડૂતો આ કિસાન  માર્ચમાં હિસ્સો લઈ રહ્યા છે. આંદોલનકારી ખેડૂત સંગઠનોએ કહ્યું કે 26 જાન્યુઆરીએ હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના અલગ અલગ હિસ્સામાંથી રાજધાની આવનારા ટ્રેક્ટરોની પ્રસ્તાવિત પરેડ પહેલાની આ રિહર્સલ જેવી છે. દિલ્હી પોલીસ અને હરિયાણા પોલીસ કર્મચારીઓના ભારે જમાવડા વચ્ચે ટ્રેક્ટર પર સવાર ખેડૂત કુંડળી- માનેસર  પલવલ  એક્સપ્રેસ તરફ માર્ચ શરૂ કરી હતી.  જ્યારે ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકેતની આગેવાનીમા ટ્રેક્ટર માર્ચ પલવલ તરફ આગળ વધી હતી.

 

સંયુક્ત ખેડૂત મોરચાના એક સિનિયર સભ્યએ અભિમન્યુ કોહાડે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે આગામી દિવસમાં અમે ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ પોતાનું આંદોલન તેજ કરશે, આજે આ કિસાન માર્ચમાં હરિયાણા નજીક 2500 ટ્રેક્ટર આવ્યા હતા. તેમણે આગળ જણાવ્યું કે ‘અમે  ચેતવણી આપવા માંગીએ છીએ કે સરકાર અમારી માંગ સ્વીકાર નહીં કરે તો  ખેડૂતોનું પ્રદર્શન હજુ વધારે તેજ થશે. જેમાં આજે સિંધુ ટિકરી બોર્ડર ટીકરીથી કુંડલી, ગાજીપુરથી પલવલ અને રેવાસનથી પલવલ તરફ ટ્રેક્ટર રેલીઓ નિકાળી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી વચ્ચે પંજાબ, હરિયાણા અને દેશના અન્ય ભાગના હજારો ખેડૂતો છેલ્લા 40 દિવસથી વધારે દિવસથી દિલ્હીની અલગ અલગ સીમાઓ પર ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો ત્રણ કૃષિ કાયદા પરત લેવા, પાકનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર કાયદાકીય ગેરંટી આપવાની તથા અન્ય મુદ્દાઓ પર વિરોધ કરી રહ્યા છે. આ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનો અને ત્રણ કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે સોમવારે યોજાયેલી બેઠકનિષ્ફળ નીવડી હતી. કારણ કે ખેડૂત સંગઠનો ત્રણ કાયદા રદ કરવાની માંગ પર અડગ રહ્યા હતા.

 

આ પણ વાંચો: Safalta Ekadashi 2021: 9 જાન્યુઆરીએ છે વર્ષની પ્રથમ એકાદશી, જાણો સફળ એકાદશીના ઉપવાસના નિયમો

Next Article