Farmer Protest: ખેડૂત આંદોલનની આડમાં ફરી એકવાર ખાલિસ્તાની (Khalistan) આતંકવાદી (Terrorist) સંગઠનના વડા પન્નુએ સોશિયલ મીડિયા (Social Media) ખેડૂતોને ભડકાવવાનું ષડયંત્ર રચ્યું છે. તેમણે પંજાબ, કાશ્મીર, પશ્ચિમ બંગાળ, આસામ અને મહારાષ્ટ્રને ભારતથી અલગ કરવાને કૃષિ કાયદા (Farmer Law) રદ કરવાનો એકમાત્ર રસ્તો ગણાવ્યો હતો. અહેવાલ છે કે આ વખતે પન્નુ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રધ્વજ લહેરાવતાં અટકાવવાનું કાવતરું ઘડી રહ્યા છે.
ખાલિસ્તાની આતંકવાદી સંગઠનના વડા પન્નુએ સોશિયલ મીડિયા દ્વારા હજારો ટ્રેકટરને દિલ્હી લાવીને પરેડની હાકલ કરી હતી. અગાઉ દેશના પ્રજાસત્તાક દિન ખાલિસ્તાની ગેંગના ષડયંત્રનું લક્ષ્ય હતું અને હવે સ્વતંત્રતા દિવસના દિવસે હંગામો મચાવવાની વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે. વિરોધ કરી રહેલા ખેડૂતોને ભારત સરકાર વિરુદ્ધ ઉશ્કેરવામાં આવી રહ્યા છે.
શરૂઆતથી જ ખેડૂત આંદોલન સાથે ખાલિસ્તાનનું નામ જોડાયું
નવા કૃષિ કાયદા વિરૂદ્ધમાં ખેડૂતોનું પ્રદર્શન યથાવત છે. આ આંદોલન શરૂ થવાની સાથે જ અનેક લોકો અને સંગઠનોએ આરોપ લગાડ્યો હતો કે ખેડૂત આંદોલન વચ્ચે ખાલિસ્તાન વિચારધારા સાથે જોડાયેલા ગૃપ એક્ટિવ થઈ ગયા છે કે જે ખેડૂત આંદોલનની આડમાં ખાલિસ્તાન સાથે જોડાયેલી માગને ઉઠાવવા માગે છે.
Published On - 1:54 pm, Wed, 28 July 21