ઓડિશાના નયાગઢમાં મોટી દૂર્ઘટના ઘટી છે. સુનાલટીમાં ગેસ પાઈપલાઈન નાખતી વખતે અચાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 2 મજૂરોના મોત થયા હોવાના સમાચાર છે. તો ત્રણ મજૂરને ગંભીર ઇજા પહોંચી છે. હાલ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ વિજય ગાંગુલી અને સોનુ તરીકે થઈ છે. આપને જણાવી દઈએ કે, આ બંને મહારાષ્ટ્રના રહેવાસી છે. તો ઘાયલ થયેલા મજૂરો પણ કોઈ અન્ય રાજ્યના રહેવાસી હોવાની માહિતી મળી રહી છે.
મળતી માહિતી મુજબ જ્યારે આ મજૂરો ગેસની પાઈપલાઈન સાફ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક કોમ્પ્રેસર મશીનમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી જેને પગલે કામ કરી રહેલા પાંચેય મજૂર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા,જ્યાં બે મજૂરના મોત થયા છે.જ્યારે અન્ય ત્રણ મજુર હજુ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે સારવાર લઈ રહેલા ત્રણેય મજૂરની હાલત ગંભીર છે.
ओडिशा: नयागढ़ जिले के सुनालती में गैस पाइपलाइन बिछाते समय विस्फोट हुआ। विस्फोट में 2 मजदूरों की मृत्यु और 3 गंभीर रूप से घायल हुए।
एक मजदूर ने बताया, “हम पाइप को खोल रहे थे जिससे पाइप में दबाव कम हो सके लेकिन मिट्टी के फसने की वजह से पाइप में धमाका हो गया।” pic.twitter.com/uB5wIW3EPW
— ANI_HindiNews (@AHindinews) February 4, 2023
ઘટના અંગે એક મજૂરે જણાવ્યુ કે, અમે પાઈપ ખોલી રહ્યા હતા જેથી પાઈપમાં દબાણ ઓછુ થઈ શકે, જો કે આ દરમિયાન જ અચાનક વિસ્ફોટ થયો. મહત્વનું છે કે નયાગઢ સરકારી હોસ્પિટલમાં હાલ ઈજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે.
Published On - 6:47 am, Sun, 5 February 23