Coronaનો કહેર દેશમાં ઘટી રહ્યો છે. તેમજ દેશમાં બ્રિટનથી આવેલા કોરોના નવા સ્ટ્રેનને લઈને ચિંતા વધી છે. તેમજ તેવા સમયે ભારત સરકારે કોરોનાની વેક્સિનને લઈને કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિડ-19ની રસીને ઈમરન્સી ઉપયોગમાં લાવવા માટે કરેલી અરજી પર ડ્રગ્સ કન્ટ્રોલર ઓફ ઈન્ડિયાની વિષય નિષ્ણાત સમિતિની બેઠક મળી રહી છે.
આ પણ વાંચો: કાર લોન ટ્રાન્સફર કરતી વખતે પાંચ બાબતોનું રાખો ધ્યાન
દેશમાં વધી રહેલા કોરોના કેસ બાદ અમેરિકન કંપની ફાઈઝર બાદ ઓક્સફર્ડ યુનિવર્સિટીની એકસ્ટ્રાજેનેકા અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની સંયુક્ત વેકસિન કોવીશિલ્ડની ઈમરજન્સી એપ્રુવલ માટે અરજી કરી છે. આ અરજીને સીધી ભાષામાં સમજીએ તો વેક્સિનને લોકો સુધી પહોંચાડવા માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટે એક પગલું આગળ લીધું છે. તેમજ જે વેક્સિનને પ્રથમ મંજૂરી મળશે તેની પકડ અને પહોંચ લોકો સુધી વધુ રહેશે. જેના પગલે કંપનીઓ ડ્રગ્સ કંટ્રોલરના દ્વારે તેની મંજૂરી માટે રાહ જોઈ રહી છે.