AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મરતા-મરતા બચ્યા ! વેણુગોપાલ સહિત 5 સાંસદોને લઈને જતા Air Indiaના વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ

એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન ચેન્નાઈમાં સુરક્ષિત રીતે ઉતર્યું છે, જ્યાં વિમાનનું નિરીક્ષણ કરવામાં આવશે. ઉતરાણ પછી, સાંસદ વેણુગોપાલે આ ઘટનાને 'મોટા અકસ્માતમાંથી બચવા' તરીકે વર્ણવી.

Breaking News: મરતા-મરતા બચ્યા ! વેણુગોપાલ સહિત 5 સાંસદોને લઈને જતા Air Indiaના વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ
Emergency landing of Air India plane
| Updated on: Aug 11, 2025 | 8:19 AM
Share

તિરુવનંતપુરમથી દિલ્હી આવી રહેલ એર ઈન્ડિયાના વિમાનને રવિવારે સાંજે ટેકનિકલ સમસ્યાને કારણે ચેન્નાઈ મોકલવામાં આવ્યું હતું. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24 પર ઉપલબ્ધ માહિતી અનુસાર, એરબસ A320 વિમાન દ્વારા સંચાલિત ફ્લાઇટ નંબર AI2455 બે કલાકથી વધુ સમય સુધી હવામાં રહી.

એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 10 ઓગસ્ટે તિરુવનંતપુરમથી દિલ્હી જતી AI2455 ના ક્રૂએ શંકાસ્પદ ટેકનિકલ સમસ્યા અને રસ્તામાં ખરાબ હવામાનને કારણે સાવચેતી રૂપે વિમાનને ચેન્નાઈ વાળ્યું હતું.

વિમાનમાં 5 સાંસદો સવાર હતા

તમને જણાવી દઈએ કે વિમાનમાં ઘણા મુસાફરો અને ક્રૂ સભ્યો હતા, જેમાં પાંચ સાંસદોનો પણ સમાવેશ થાય છે. એર ઈન્ડિયાએ કહ્યું કે વિમાન ચેન્નાઈમાં સુરક્ષિત રીતે ઉતર્યું હતુ. તિરુવનંતપુરમથી ઉડાન ભરનાર ફ્લાઇટ નંબર AI 2455 માં કેરળના ચાર સાંસદ હતા – કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલ, યુડીએફ કન્વીનર અદૂર પ્રકાશ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કોડિકુન્નિલ સુરેશ અને કે. રાધાકૃષ્ણન તમિલનાડુના સાંસદ રોબર્ટ બ્રુસ સાથે હતા.

મોટી દુર્ઘટનામાંથી બચી ગયા

લેન્ડિંગ પછી, વેણુગોપાલે આ ઘટનાને ‘મોટા અકસ્માતમાંથી બચી ગયા’ તરીકે વર્ણવી. તેમણે દાવો કર્યો કે વિમાનમાં રડારમાં સમસ્યા હતી, જેના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. અમે ઉતરાણ પહેલાં લગભગ એક કલાક અને 10 મિનિટ હવામાં હતા. તેમણે કહ્યું કે મેં આ બાબતે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (DGCA) ને પહેલાથી જ જાણ કરી દીધી છે.

એર ઇન્ડિયાએ સ્પષ્ટતા આપી

એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન ચેન્નાઈમાં સુરક્ષિત રીતે ઉતર્યું છે, જ્યાં વિમાનની જરૂરી તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે. મુસાફરોની સંખ્યા વિશે વિગતો ઉપલબ્ધ નથી. Flightradar24 તરફથી મળેલી માહિતી અનુસાર, વિમાને રાત્રે 8 વાગ્યા પછી તિરુવનંતપુરમથી ઉડાન ભરી હતી અને લગભગ 10.35 વાગ્યે ચેન્નાઈ પહોંચ્યું હતું.

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">