Maharashtra Politics: મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઘેરૂ બની રહ્યું છે. એકનાથ શિંદે હજુ પણ પોતાની વાત પર અડગ છે અને ઉદ્ધવ ઠાકરે પર સતત પ્રહારો અને પડકાર ફેંકી રહ્યા છે. શિંદે (Eknath Shinde) શરૂઆતથી જ શિવસૈનિકોને મહા વિકાસ આઘાડી સરકારની વ્યૂહરચના વિશે ચેતવણી આપતા રહ્યા છે. આજ અધ્યાયમાં, તેમણે MVA સરકાર વિરુદ્ધ શિવસૈનિકોને ફરી એક વાર ચેતવણી આપી છે અને કહ્યું છે કે અઘાડી સરકારના સિદ્ધાંતો શિવસેનાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. પોતાને બાળાસાહેબની શિવસેનાનો (Shivsena)એક ભાગ ગણાવતા એકનાથ શિંદેએ શિવસૈનિકોને મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારની રમતને ઓળખવા કહ્યું.
શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ શનિવારે મોડી સાંજે કહ્યું કે શિવસેનાના કાર્યકર્તાઓએ સમજવું જોઈએ કે તેઓ પાર્ટીને મહા વિકાસ અઘાડીના (Maha Vikas Aghadi) ચુંગાલમાંથી બહાર કાઢવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. શિંદેએ ટ્વીટ કરીને લખ્યું, ‘શિવસેનાના કાર્યકર્તાઓએ સમજવું જોઈએ કે હું શિવસેના અને તેના કાર્યકરોને મહા વિકાસ આઘાડી સરકારના ચુંગાલમાંથી મુક્ત કરવા માંગુ છું અને હું તેના માટે લડી રહ્યો છું. આ લડાઈ પાર્ટી કાર્યકર્તાઓના ભલા માટે છે.
શિંદેની અપીલ પાર્ટી અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના (Uddhav Thackeray) સમર્થકો દ્વારા તેમના નેતૃત્વમાં બળવાખોર ધારાસભ્યો સામે વિરોધ કરવા, તેમના બેનરો હટાવવા, કેટલીક જગ્યાએ પથ્થરમારો અને પુણેમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવા બદલ કરવામાં આવી હતી. “હું આ લડાઈ શિવસેનાના કાર્યકરોના હિતમાં સમર્પિત કરું છું,” તેમણે કહ્યું.
प्रिय शिवसैनिकांनो,
नीट समजून घ्या, म.वि.आ. चा खेळ ओळखा..! MVA च्या अजगराच्या विळख्यातून शिवसेना व शिवसैनिकांना सोडवण्यासाठीच मी लढत आहे. हा लढा तुम्हा शिवसैनिकांच्या हिता करीता समर्पित…. आपला एकनाथ संभाजी शिंदे.#MiShivsainik— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) June 25, 2022
શિવસેનાના કાર્યકરોએ શિંદેનો વિરોધ કર્યો
નોંધપાત્ર રીતે, એકનાથ શિંદેના બળવાને લઈને શિવસેનાના કાર્યકરોના વધતા ગુસ્સાને ધ્યાનમાં રાખીને, મુંબઈ પોલીસે વિવિધ રાજકીય પક્ષો અને નેતાઓના કાર્યાલયો અને નિવાસસ્થાનો પર પોલીસ દળો તૈનાત કર્યા છે. શનિવારે આ વાતની પુષ્ટિ કરતા એક અધિકારીએ કહ્યું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોના કાર્યાલયો અને નિવાસસ્થાનો પર પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા જૂનના પ્રથમ સપ્તાહમાં મુંબઈ પોલીસ અધિનિયમની કલમ 37 હેઠળ શહેર પોલીસ દ્વારા જાહેર કરાયેલા પ્રતિબંધક આદેશોને 10 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યા છે. આ કલમ પાંચ કે તેથી વધુ વ્યક્તિઓને એક જગ્યાએ ભેગા થવા પર પ્રતિબંધ મૂકે છે.
શિવસેનાના મોટાભાગના ધારાસભ્યો મંત્રી એકનાથ શિંદે પ્રત્યેની વફાદારી દર્શાવતા ગુવાહાટીમાં પડાવ નાખી રહ્યા છે. જેના કારણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (MVA) સરકાર સંકટનો સામનો કરી રહી છે. રાજ્યના કેટલાક ભાગોમાં બળવાખોર ધારાસભ્યોના કાર્યાલયો પર હુમલાની કેટલીક ઘટનાઓ બની છે. અધિકારીએ કહ્યું, “શહેરના પોલીસકર્મીઓને સતર્ક રહેવા અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે કહેવામાં આવ્યું છે.” તેમને રાજકીય પક્ષોના સ્થાનિક નેતાઓ સાથે સંકલન કરવા અને તેમના કાર્યક્રમો, આંદોલનો અને સમાધાન સંબંધિત માહિતી અગાઉથી મેળવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.