જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) MBBSનું સીટ કૌભાંડ સામે આવ્યું છે. શ્રીનગરની એક વિશેષ અદાલતે એક અગ્રણી હુર્રિયત (Hurriyat) નેતા સહિત આઠ લોકો સામે આરોપો ઘડ્યા છે. તમને જણાવી દઈએ કે આરોપ છે કે તેઓએ પાકિસ્તાનમાં (Pakistan) MBBS કરવા માટે જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓને સીટો વેચી છે. આ બેઠકોના બદલામાં મળેલા નાણાંનો ઉપયોગ ભારત વિરોધી આતંકવાદી કામગીરીમાં કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે MBBSની એક સીટ 15 થી 20 લાખ રૂપિયામાં વેચાઈ હતી.
શ્રીનગરની એનઆઈએ અદાલતે પાકિસ્તાનની કોલેજોમાં એમબીબીએસ અને અન્ય અભ્યાસક્રમોના પ્રવેશની વ્યવસ્થા કરવા માટે કેટલાક શૈક્ષણિક સલાહકારો સાથે કથિત રીતે હાથ મિલાવવા બદલ હુર્રિયત નેતા અને અન્યો સામે આરોપો ઘડ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લક્ઝરી લાઈફ માટે પૈસાનો ઉપયોગ થતો હતો. આ સિવાય આ નાણાંનો ઉપયોગ આતંકવાદને ફંડ આપવા માટે કરવામાં આવ્યો હતો.
સર્ચ વોરંટ મળ્યા બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA)ના અધિકારીઓએ તપાસ દરમિયાન આરોપીઓના ઘર અને અન્ય સ્થળોએ તપાસ હાથ ધરી હતી. સર્ચ દરમિયાન જપ્ત કરાયેલા દસ્તાવેજો અને અન્ય સામગ્રીનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને જાણવા મળ્યું હતું કે આરોપી વ્યક્તિઓના ખાતામાં જમા રકમનો ઉપયોગ એમબીબીએસ સહિત પાકિસ્તાનમાં વિવિધ ટેકનિકલ અને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવા માટે કરવામાં આવ્યો હતો.
સર્ચ દરમિયાન જપ્ત કરાયેલા દસ્તાવેજો અને અન્ય સામગ્રીનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને જાણવા મળ્યું હતું કે MBBS સહિત પાકિસ્તાનમાં વિવિધ ટેકનિકલ અને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવા માટે આરોપી વ્યક્તિઓના ખાતામાં પૈસા જમા કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને પાકિસ્તાનમાં હુર્રિયત ઑફિસમાં નેશનલ ટેલેન્ટ સર્ચ પરીક્ષામાં બેસવા માટે કહેવામાં આવ્યું હતું જેથી આ યુવાનોને વિશ્વાસ થાય કે તેઓ પ્રી-ક્વોલિફિકેશન ટેસ્ટ લખી રહ્યા છે.
તપાસ દરમિયાન, નોંધાયેલા સાક્ષીઓના નિવેદનો અને એકત્ર કરાયેલા અન્ય પુરાવાઓના આધારે, એવું બહાર આવ્યું છે કે પાકિસ્તાનમાં એમબીબીએસ અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં એવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેઓ માર્યા ગયેલા આતંકવાદીઓના નજીકના પરિવારના સભ્યો કે સંબંધીઓ હતા. આ કામ પાકિસ્તાનમાં હુર્રિયતના સભ્યો અને તેમના સમકક્ષોની ભલામણો પર હાથ ધરવામાં આવ્યું હતું. કોર્ટે બચાવ પક્ષના વકીલો અને વિશેષ સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલ SIAની દલીલો સાંભળ્યા પછી આરોપો ઘડ્યા હતા, એક અધિકારીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી આવા એડમિશનના બદલામાં મોટી રકમ મેળવવામાં આવી હતી અને તેનો ઉપયોગ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને ટેકો આપવા માટે કરવામાં આવ્યો હતો.