નવા વર્ષની ઉજવણી વચ્ચે દિલ્હીમાં મોડી રાત્રે આવ્યો ભૂકંપ, એપી સેન્ટર હરિયાણામાં

હરિયાણાના ઝજ્જરમાં ભૂકંપ નોંધાયો હતો. દિલ્હી અને હરિયાણાની આસપાસના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. મધ્યરાત્રીના 1.19 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી.

નવા વર્ષની ઉજવણી વચ્ચે દિલ્હીમાં મોડી રાત્રે આવ્યો ભૂકંપ, એપી સેન્ટર હરિયાણામાં
Earthquake ( file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2023 | 6:44 AM

રવિવારે નવા વર્ષની શરૂઆતની ગણતરીના કલાકમાં જ, મધ્યરાત્રીએ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, હરિયાણાના ઝજ્જરમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જે દિલ્હી અને હરિયાણાની આસપાસના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા રાત્રીના 1.19 કલાકે અનુભવાયા હતા. જો કે હરિયાણામાં એપી સેન્ટર ધરાવતા ભૂકંપથી હજુ સુધી નુકસાન કે જાનહાનિ બાબતે કોઈ માહિતી સામે આવી નથી.

સમાચાર એજન્સીએ જણાવ્યાનુંસાર, “રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના વિસ્તારોમાં રાત્રીના લગભગ 1.19 વાગ્યે 3.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા.” ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ઝજ્જરમાં હતું. આ ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

નવેમ્બરમાં દિલ્હીમાં ત્રણ ભૂકંપના આંચકા

નવેમ્બર 2022ના છેલ્લા મહિનામાં પણ રાજધાની દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 29 નવેમ્બરે અહીં 2.5ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર નવી દિલ્હીના પશ્ચિમ વિસ્તારમાં જણાવવામાં આવ્યું હતું, જેની ઊંડાઈ પાંચ કિલોમીટર હતી. બીજી તરફ 12 નવેમ્બરે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જ્યારે બિજનૌર સહિત દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

નેપાળમાં પણ આવ્યો હતો ભૂકંપ

એટલું જ નહીં, 9મી નવેમ્બરે રાજધાની દિલ્હીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર નેપાળમાં હતું, પરંતુ ભારતમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિત સાત રાજ્યોમાં તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેપાળમાં આવેલા આ ભૂકંપના કારણે ઘણા ઘરો ધરાશાયી થયા હતા અને 6 લોકોના મોત પણ થયા હતા.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">