Dussehra 2021: રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્રાસમાં જવાનો સાથે મનાવશે વિજ્યા દશમી, કારગિલ યુદ્ધના નાયકોને આપશે શ્રદ્ધાંજલી

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ (Ladakh)ની મુલાકાતના પહેલા દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ લેહના સિંધુ ઘાટ પર સિંધુ દર્શન અને પૂજા કરશે

Dussehra 2021: રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્રાસમાં જવાનો સાથે મનાવશે વિજ્યા દશમી, કારગિલ યુદ્ધના નાયકોને આપશે શ્રદ્ધાંજલી
President Ram Nath Kovind
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 7:41 AM

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind) લદાખના દ્રાસ વિસ્તારમાં સૈનિકો સાથે આ વર્ષે દશેરાની ઉજવણી કરશે. દ્રાસ વિશ્વની સૌથી ઠંડી જગ્યાઓમાંની એક છે, જ્યાં તાપમાન -40 ડિગ્રીથી નીચે પહોંચે છે. રાષ્ટ્રપતિ હવે તે પરંપરા તોડતા જોવા મળે છે.

રાષ્ટ્રપતિ સામાન્ય રીતે દર વર્ષે દિલ્હીમાં દશેરાની ઉજવણીમાં હાજરી આપતા હતા. રાષ્ટ્રપતિ ભવન દ્વારા બુધવારે જારી કરવામાં આવેલી સત્તાવાર અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ કોવિંદ 14 અને 15 ઓક્ટોબર (ગુરુવાર અને શુક્રવારે બે દિવસની મુલાકાત) લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે (President Ram Nath Kovind Jammu Kashmir Visit).

રાષ્ટ્રપતિ ભવન દ્વારા બુધવારે જારી કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ, રાષ્ટ્રપતિ આજે લદ્દાખમાં દ્રાસની મુલાકાત લેશે અને કારગિલ યુદ્ધ સ્મારક ખાતે 1999 ના કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. દરમિયાન, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે દશેરાની પૂર્વ સંધ્યાએ નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં કહ્યું, “વિજયાદશમીના શુભ પ્રસંગે, હું ભારત અને વિદેશમાં રહેતા મારા બધા સાથી નાગરિકોને હાર્દિક શુભેચ્છા પાઠવું છું.” તેમણે કહ્યું કે વિજયાદશમીને અનિષ્ટ પર સારાની જીત અને ભગવાન રામના વ્યક્તિત્વ અને તેમનું આચરણ આપણા બધા માટે આદર્શ છે.

સિંધુ ઘાટ પર પૂજા પ્રેસ રિલીઝ મુજબ, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ(Ladakh)ની મુલાકાતના પહેલા દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ લેહના સિંધુ ઘાટ (Sindhu Vally) પર સિંધુ દર્શન અને પૂજા કરશે. આ નદી કિનારો તેના સુંદર અને કુદરતી લેન્ડસ્કેપ માટે જાણીતો છે. તે લેહ(Leh)માં શે ગામ પાસે સ્થિત છે અને પૃષ્ઠભૂમિમાં ઉજ્જડ પર્વતો સાથે ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે.

દ્રાસને લદ્દાખનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. તે તેની ઊંચાઈ વાળા ટ્રેકિંગ માર્ગ અને પ્રવાસન સ્થળો માટે પ્રખ્યાત છે. એક વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ લશ્કરી પોઈન્ટ પણ છે. અહીં ભારતીય સેનાના સૈનિકોને નિયંત્રણ રેખા (LOC) ની સુરક્ષા માટે સમગ્ર વર્ષ દરમિયાન ઊંચાઈ અને ઠંડા તાપમાનનો સામનો કરવો પડે છે.

કારગિલ વિજય દિવસ 2021 પર, રાષ્ટ્રપતિએ તેમની દ્રાસની મુલાકાત રદ કરી, જ્યાં તેઓ ખરાબ હવામાનને કારણે યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવાના હતા. 2019 માં પણ રાષ્ટ્રપતિ ખરાબ હવામાનને કારણે કારગિલ વિજય દિવાસમાં હાજરી આપવા માટે દ્રાસની મુલાકાત લઈ શક્યા ન હતા. તેના બદલે તેમણે શ્રીનગરના બદામીબાગમાં સેનાના 15 કોર્પ્સ હેડક્વાર્ટર ખાતે યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પણ વાંચો: Ahmedabad: પૂરપાટ કારની ટક્કરથી હવામાં ફંગોળાઈ સામેની કારે પટકાતા મહિલાનું મોત, CCTV ના દ્રશ્યો કમકમાટીભર્યા

આ પણ વાંચો: High Return Stocks : 25 રૂપિયાથી ઓછી કિંમતની શ્રેણીના સ્ટોક્સે ૧ વર્ષમાં આપ્યું 15000% સુધી રિટર્ન, જાણો આ Penny stocks વિશે અહેવાલમાં

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">