જ્યારે દુશ્મન દેશ પાકિસ્તાનમાં દારૂગોળાથી ભરેલી TRAIN લઈને ઘુસી ગયા હતા આ જાંબાઝ INDIAN PILOT, વીરચક્રથી સન્માનિત, આજે પણ દેશ માટે લડવા તૈયાર

|

Mar 01, 2019 | 9:49 AM

આ વ્યકિતની ઉંમર 83 વર્ષ છે છતાં આજે પણ ભારતીય સેનાના દુશ્મનો સાથે લડવા માટે તૈયાર છે. આ વ્યકિત ભલે ઘરડો થઈ ગયા છે પણ સરકારનો હુકમ મળે તો પાકિસ્તાન સાથે લડવા માટે તૈયાર છે. TV9 Gujarati   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને […]

જ્યારે દુશ્મન દેશ પાકિસ્તાનમાં દારૂગોળાથી ભરેલી TRAIN લઈને ઘુસી ગયા હતા આ જાંબાઝ INDIAN PILOT, વીરચક્રથી સન્માનિત, આજે પણ દેશ માટે લડવા તૈયાર

Follow us on

આ વ્યકિતની ઉંમર 83 વર્ષ છે છતાં આજે પણ ભારતીય સેનાના દુશ્મનો સાથે લડવા માટે તૈયાર છે. આ વ્યકિત ભલે ઘરડો થઈ ગયા છે પણ સરકારનો હુકમ મળે તો પાકિસ્તાન સાથે લડવા માટે તૈયાર છે.

TV9 Gujarati

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

તે વ્યકિત છે રેલ્વે પાયલોટ દુર્ગાશંકર પાલીવાલ. 1971 ભારત પાકિસ્તાન યુધ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય રેલ્વે તરફથી ભારતીય સેનામાં સેવા આપી રહેલા દુર્ગાશંકર પાલીવાલને 25 ડબ્બાવાળી ટ્રેન લઈને પાકિસ્તાનની સરહદમાં પ્રવેશ કરવાનો હતો. દુર્ગાશંકરને બાડમેરની નજીક મુનાબાવ રેલ્વે સ્ટેશન થઈ, પાકિસ્તાનના ખોપરાપાર અને પેરચીના બેરી રેલ્વે સ્ટેશન સુધી પહોંચવાનું હતુ પણ રેલ્વે ટ્રેક તુટી ગયેલો હતો ત્યારે લગભગ 10 કિલોમીટરનો ટ્રેક રાતોરાત બનાવવામાં આવ્યો હતો અને 11 ડિસેમ્બર 1971એ દુર્ગાશંકર દારૂગોળાથી ભરેલી ટ્રેન લઈને પાકિસ્તાનની સરહદમાં પ્રવેશ કર્યો હતો.

પાકિસ્તાનની સરહદના ખોપરાપાકથી આગળ દુર્ગાશંકરની ટ્રેનની રેકી કરવા માટે એક પાકિસ્તાની વિમાન નજરે આવ્યું તો તેમને તે જોખમને લઈને તૈયારી શરૂ કરી દીધી. તે દરમિયાન રેકી કરીને વિમાન પાછુ પાકિસ્તાન તરફ ગયું અને થોડીવારમાં જ 6 વિમાનો બોમ્બ દ્વારા ટ્રેનને તબાહ કરવા પહોંચ્યા. પાકિસ્તાનના આ 6 વિમાનોએ ટ્રેનને ઘેરી લીધી પણ દુર્ગાશંકર ગભરાયા નહી અને ટ્રેનને વધારે ગતિએ આપીને સિંધ હૈદરાબાદ તરફ લઈ ગયા. વિમાન દ્વારા ટ્રેન પર બોમ્બ ફેંકાયા પણ ટ્રેનને કોઈ નુકસાન થયું નહીં.

જ્યારે પેરચીના બેરીથી ટ્રેનને રિવર્સ ભારતીય સરહદ તરફ લાવી રહ્યાં હતા તે દરમિયાન ખોપરાપારની નજીક પાકિસ્તાની વિમાને લગભગ 1 હજાર કિલો બોમ્બ ટ્રેક પર ફેંકયા. તેના કારણે દુર્ગાશંકરના હાથ ગંભીર રીતે દાઝી ગયા હતા અને ટ્રેક પણ તુટી ગયો હતો. ટ્રેનના એન્જિનને બંધ કરીને તેમને રાઈફલ લઈ અને ચાલતા જ ભારતીય સરહદમાં આવવા રવાના થયા તે દરમિયાન ભારતનું એક હેલિકોપ્ટર રેકી કરતું નજર આવ્યું જેને લેન્ડ કરાવીને દુર્ગાશંકર ભારતીય સરહદ સુધી પહોંચ્યા.

સારવાર બાદ દુર્ગાશંકરને મળવા ઈન્દિરા ગાંધી પહોંચ્યા અને 30 ઓકટોબર 1972માં રાષ્ટ્રપતિ વી.વી.ગીરીએ વીરચક્રથી સન્માનિત કર્યા. દુર્ગાશંકરની હિંમત આજે પણ ઓછી નથી થઈ અને તે સરકારનો હુકમ મળતા જ ફરી પાકિસ્તાની સેનાની વિરૂધ્ધ લડવા તૈયાર છે.

[yop_poll id=1897]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article