યુવાનોના પ્રિય કવિ ડો. કુમાર વિશ્વાસે (Dr Kumar Vishwas) પોતાની ઝડપી સક્રિયતા બતાવી અને ફરી એક વાર તેના લાખો ચાહકોનું દિલ જીતી લીધું છે. યુવા સાહિત્યકાર અને યુવા સાહિત્ય એકેડેમી એવોર્ડ વિજેતા નીલોત્પલ મૃણાલની તબિયત ખરાબ હોવાનો એક વીડિયો ટ્વીટર પર વાયરલ થઈ રહ્યો હતો.
તે વીડિયોનો ઉલ્લેખ કરતાં ડો.કુમાર વિશ્વાસે ટ્વીટ કરીને કહ્યું હતું કે, નીલોત્પલ મૃણાલનો નંબર મોકલો અને ત્યાં સુધી તેમની સંભાળ રાખજો કે જ્યાં સુધી તે એક દમ સ્વસ્થ ન થઈ જાય”
नीलोत्पल के साथ जो भी है उनका नम्बर तुरंत @OfficeOfDKV पर DM करिए।अभी।तब तक उसका बहुत ध्यान रखिए।हर हाल में उसको स्वस्थ होना होगा 🇮🇳👍 https://t.co/9LK9HA4vij
— Dr Kumar Vishvas (@DrKumarVishwas) May 12, 2021
આના થોડા સમય પછી જ તેણે બીજી ટ્વીટ કરી, “વાત થઈ ગઈ છે.” નિલોત્પલના CT રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટ આવતાની સાથે જ અમે તેને રાંચી કે દિલ્હી બોલાવી લઈશું. તેમનું સ્વસ્થ રહેવું જરૂરી છે. ખાસ ગભરાટ ઊભી ન કરશો. ભગવાન ન કરે, પરંતુ જો આ જરુર પડશે, તો તેને દેશની શ્રેષ્ઠ સારવાર મળશે.”
बात हो गई है।नीलोत्पल की CT रिपोर्ट प्रतीक्षित है।रिपोर्ट आते ही उसे राँची या दिल्ली बुला लेंगे।उसका स्वस्थ रहना आवश्यक है।विशेष पैनिक पैदा न करें🙏।ईश्वर न करें पर यही आवश्यकता पड़ी तो देश का श्रेष्ठतम इलाज मिलेगा उसे ❤️👍 https://t.co/LSlhQUOtFV
— Dr Kumar Vishvas (@DrKumarVishwas) May 12, 2021
કુમારે આ આશ્વાસન આપતા ટ્વીટ કર્યા પછી તરત જ તેમણે ઝારખંડના આરોગ્ય પ્રધાન બન્ના ગુપ્તાનો સંપર્ક કર્યો અને ત્યારબાદ ટ્વીટ કર્યું કે, આરોગ્ય પ્રધાન પ્રિય ભાઈ બન્ના ગુપ્તા જી સાથે વાત કરી. તેઓ નિલોત્પલનો તાત્કાલિક સંપર્ક કરીને તાત્કાલિક શ્રેષ્ઠ તબીબી સંભાળની ખાતરી આપી રહ્યા છે. તમે બધા નિશ્ચિત રહો હિન્દીનું વર્તમાન એટલું નબળું નથી કે તે તેના ભવિષ્યની કાળજી પણ ન લઈ શકે ”
अभी स्वास्थ्य मंत्री प्रिय भाई @BannaGupta76 से बात की।वे नीलोत्पल के तुरंत सम्पर्क करके सर्वश्रेष्ठ चिकित्सा सुविधा सुनिश्चित कर रहे हैं।आप सब निश्चित रहें।हिंदी का वर्तमान इतना भी निर्बल नहीं जो अपने भविष्य की परिचर्या न कर सके🇮🇳❤️ #लड़ेंगे_जीतेंगे 🇮🇳👍 https://t.co/QWG39e6mR0
— Dr Kumar Vishvas (@DrKumarVishwas) May 12, 2021
તેમની ટ્વીટ પર તાત્કાલિક પ્રતિક્રિયા આપતા આરોગ્યમંત્રીએ પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “ભાઈ કુમાર વિશ્વાસ જી, સિવિલ સર્જનને તેમની વધુ સારી સારવાર સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે, આપ જરા પણ ચિંતા ના કરશો. નીલોત્પલ જીની તબિયતની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે.”
भाई @DrKumarVishwas जी,
सिविल सर्जन को निर्देश दिया गया है कि उनके बेहतर इलाज की व्यवस्था सुनिश्चित की जाए, आप तनिक भी चिंता न करे नीलोत्पल जी के स्वास्थ्य का पूरा ख्याल रखा जाएगा। https://t.co/J6JcifQXcn
— Banna Gupta (@BannaGupta76) May 12, 2021
સોશિયલ મીડિયા પર કુમાર વિશ્વાસની આ પહેલ બાદ તેના ચાહકો દ્વારા તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી કુમાર વિશ્વાસ લોકોને મદદ કરવા માટે ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. આ રોગચાળા દરમિયાન તેણે પોતાના પ્રયત્નોથી અત્યાર સુધીમાં સેંકડો લોકોનો જીવ બચાવ્યો છે.
आप सब की दुआ साथ है।हालत नियंत्रण में है।मैं अस्पताल में ही हूं। रिपोर्ट मिलते ही साझा करूँगा। कुमार भैया लगातार संपर्क में हैं।
— Nilotpal Mrinal (@authornilotpal) May 12, 2021
આ પણ વાંચો: આદર પૂનાવાલા 20 મે પછી મહારાષ્ટ્રમાં કોવિશિલ્ડના 1.5 કરોડ ડોઝ પહોંચાડશે