પરમાણુ યુદ્ધ કે મહાવિનાશની સ્થિતિમાં ચીન,રશિયા અને ભારતના રાષ્ટ્રાધ્યક્ષ પોતાને કેવી રીતે સુરક્ષિત રાખશે?- વાંચો

દુનિયામાં ક્યારે ક્યા દેશ પર ન્યુક્લિયર એટેક થશે તે કહી ન શકાય? એવામાં શું ખરેખર પરમાણુ યુદ્ધ થવાનું છે? જો એવુ થયુ તો અમેરિકા પાસે તમામ પ્રકારની ઈન્ફોર્મેશન સિસ્ટમ ઉપરાંત શું કોઈ બીજી યોજના તેમની પાસે છે? મેડિસિન, સૂચના તંત્ર- એ તો દુનિયાભરના દેશો પાસે આજે ઉપલબ્ધ છે પરંતુ ક્યાંકને ક્યાંક અમેરિકામાં રાષ્ટ્રપતિ હાલ તો ખુદને જ સુરક્ષિત રાખીને ચાલી રહ્યા છે. આ સાથે એ તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો પાસે પોતાના બચવાના એક્ઝિટ પ્લાન્સ પણ છે. તો આવો ચર્ચા કરીએ કે પરમાણુ યુદ્ધની સ્થિતિમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગનો અને ભારતના વડાપ્રધાન મોદી પાસે તેમના બચવાનો છે શું એક્ઝિટ પ્લાન ?

પરમાણુ યુદ્ધ કે મહાવિનાશની સ્થિતિમાં ચીન,રશિયા અને ભારતના રાષ્ટ્રાધ્યક્ષ પોતાને કેવી રીતે સુરક્ષિત રાખશે?- વાંચો
| Updated on: Feb 03, 2026 | 7:16 PM

વિશ્વમાં પરમાણુ યુદ્ધ અથવા મહાવિનાશ જેવી કટોકટીની સ્થિતિ સર્જાય ત્યારે માત્ર હથિયારો નહીં, પરંતુ દેશના સર્વોચ્ચ નેતૃત્વને જીવંત અને કાર્યક્ષમ રાખવાની વ્યવસ્થા સૌથી મહત્વની બની જાય છે. અમેરિકાએ આવા સંજોગો માટે “ડુમ્સડે પ્લેન” તરીકે ઓળખાતા વિશેષ એરબોર્ન કમાન્ડ સેન્ટર તૈયાર કર્યુ છે, જે રાષ્ટ્રપતિને હવામાં રહીને જ દેશનું નેતૃત્વ કરવાની ક્ષમતા આપે છે. પરંતુ અમેરિકા એકલું નથી; રશિયા, ચીન અને ભારતે પણ પોતાની અલગ-અલગ રણનીતિ વિકસાવી છે, જે તેમની ભૂગોળ, સૈન્ય સિદ્ધાંત અને ટેકનોલોજી પર આધારિત છે. અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યા બાદ તેને સતત એ ચિંતા સતાવતી હશે કે ક્યાંક રશિયા કે અન્ય વેેનેઝુએલાના સમર્થક દેશો તેના પર હુમલો ન કરી દે. આ જ ચિંતામાં અમેરિકામાં હાલ ડુમ્સ ડે પ્લેનને બહાર કાઢવામાં આવ્યુ હોઈ શકે તેવી ચર્ચા વૈશ્વિક મીડિયામાં થઈ રહી છે. આ એવુ પ્લેન છે જે અમેરિકી રાષ્ટ્રાપતિને સર્વોચ્ચ સુરક્ષા પ્રદાન કરે છે. 72 કલાક સુધી આકાશમાં જ ઉડી શકે છે અને તેને કોઈ સેટેલાઈટ ટ્રેક કરી શક્તી નથી....

Published On - 8:17 pm, Tue, 13 January 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો