32 મુસાફરોને લીધા વગર જ ફ્લાઈટ ઉપડી, DGCAએ એરલાઇન પાસે માંગ્યો રિપોર્ટ

અમૃતસરથી સિંગાપોર જઈ રહેલા એક વિમાને 30થી વધુ મુસાફરોને છોડીને ઉડાન ભરી હતી. વાસ્તવમાં, આ ફ્લાઇટના ડિપાર્ચર ટાઈમમાં ફેરફાર કરાયો હતો. એરલાઈન્સે કહ્યું કે ખરાબ હવામાનને કારણે એરક્રાફ્ટને સમય પહેલા ટેકઓફ કરવું પડ્યું હતું. હવે DGCAએ એરલાઈન પાસે રિપોર્ટ માગ્યો છે.

32 મુસાફરોને લીધા વગર જ ફ્લાઈટ ઉપડી, DGCAએ એરલાઇન પાસે માંગ્યો રિપોર્ટ
International FlightImage Credit source: Tv9 ભારતવર્ષ
Follow Us:
krushnapalsinh chudasama
| Edited By: | Updated on: Jan 21, 2023 | 3:41 PM

અમૃતસરથી સિંગાપોર જતી સ્કૂટ એરલાઈન્સની ફ્લાઈટ 18 જાન્યુઆરીએ 30થી વધુ મુસાફરોને છોડીને ટેકઓફ થઈ હતી. હવે DGCAએ સખ્તી દાખવી છે અને સ્કૂટ એરલાઈન્સ પાસેથી આ મામલે રિપોર્ટ માગ્યો છે. ફ્લાઇટના ઉપડવાનો સમય બદલાયો હતો, પરંતુ મુસાફરોને તેમના ટ્રાવેલ એજન્ટ દ્વારા જાણ કરવામાં આવી ન હતી. DGCAએ જણાવ્યું કે ખરાબ હવામાનના કારણે ફ્લાઈટનો સમય બદલવો પડ્યો હતો.

બાદમાં મુસાફરોની ફરિયાદ બાદ એરલાઈને તેમને ત્રણ વિકલ્પ આપ્યા હતા. સ્કૂટ એરલાઈન્સે પેસેન્જરોને કહ્યું છે કે, તેઓ ફ્રીમાં ફ્લાઈટનું રિબુક કરી શકે છે. બીજુ, પેસેન્જર રિફંડના 120% માટે વાઉચર લઈ શકે છે અથવા પેસેન્જર એરલાઈન પાસેથી રિફંડ લઈ શકે છે. ડીજીસીએની કાર્યવાહી પહેલા એરલાઈને આ જાહેરાત કરી હતી, જેની ઉડ્ડયન એવિએશન રેગ્યુલેટરે પણ પ્રશંસા કરી હતી.

32 મુસાફરોને છોડીને ફ્લાઈટે ભરી હતી ઉડાન

પંજાબના અમૃતસરમાં શ્રી ગુરુ રામદાસજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 18 જાન્યુઆરીને બુધવારના રોજ 32 મુસાફરો સિંગાપોરની ફ્લાઇટ ચૂકી ગયા હતા, કારણ કે તેમના બુકિંગ એજન્ટે તેમને ફ્લાઇટના પ્રસ્થાનના સમયમાં ફેરફાર વિશે જાણ કરી ન હતી. સ્કૂટ એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું. ખરાબ હવામાનને કારણે ફ્લાઇટના પ્રસ્થાનનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ફ્લાઇટ બુધવારે સાંજે 7:55 વાગ્યે ઉપડવાની હતી, પરંતુ અમૃતસરથી પ્રસ્થાનનો સમય 3:45 વાગ્યે ફરીથી નિર્ધારિત કરવામાં આવ્યો હતો. આ અંગે મુસાફરોને જાણ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

300 લોકોએ કરાવ્યું હતું બુકિંગ

અમૃતસર એરપોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ફ્લાઇટમાં લગભગ 300 મુસાફરો હતા. શ્રી ગુરુ રામદાસજી ઇન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર વીકે શેઠે જણાવ્યું હતું કે, તમામ બુકિંગ એજન્ટોને સમયસર જાણ કરવામાં આવી હતી અને તેમના ગ્રાહકોને માહિતી આપવામાં આવી હતી. પરંતુ, માત્ર એક એજન્ટે તેના મુસાફરોને જાણ કરી શક્યો નહીં અને તે શા માટે કરી શક્યો નહીં, તે તે જ જણાવી શકે. વિમાનમાં સવાર 263 મુસાફરો સમયસર એરપોર્ટ પર પહોંચી ગયા હતા.

55 મુસાફરોને છોડીને, GoFirst ફ્લાઇટ પણ ઉપડી

9 જાન્યુઆરીના રોજ, Go First 55 મુસાફરોને લીધા વિના બેંગલુરુથી દિલ્હી માટે રવાના થઈ હતી. આ મુસાફરો વિમાનમાં ચઢવા માટે શટલ બસમાં રાહ જોતા રહ્યા. ગો ફર્સ્ટ આ ઘટના પર મુસાફરોની માફી માંગી. GoFirstએ જણાવ્યું હતું કે ફ્લાઇટ પહેલા મુસાફરોની સ્ક્રીનિંગ દરમિયાન બેદરકારીને કારણે આ ઘટના બની હતી.

આ મામલાની તપાસના આદેશ આપતા, એરલાઇન કંપનીએ ઘટના સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને તેના રોસ્ટરમાંથી કાઢી નાખ્યા હતા. આ પહેલા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ પણ કંપનીને કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી. કંપનીએ એમ પણ કહ્યું કે મુસાફરોને દિલ્હી અને પછી તેમના સંબંધિત ગંતવ્ય સ્થાનો પર અન્ય ફ્લાઇટ્સ પર ઉતારવામાં આવ્યા હતા.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">