AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અયોધ્યાના રામમંદિરમાં રામલલ્લાના દર્શન કરવા ભક્તોને મળશે માત્ર આટલો જ સમય, જાણો કેટલા અંતરથી કરી શકશો દર્શન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના અધિકારી નૃપેન્દ્ર મિશ્રા પોતે રામ મંદિર નિર્માણની કામગીરી ઉપર નજર રાખી રહ્યા છે. તેમણે મંદિર વિશે વિગતવાર માહિતી શેર કરી છે, આવતા વર્ષની શરૂઆતથી લોકો રામલલાના દર્શન કરી શકશે.

અયોધ્યાના રામમંદિરમાં રામલલ્લાના દર્શન કરવા ભક્તોને મળશે માત્ર આટલો જ સમય, જાણો કેટલા અંતરથી કરી શકશો દર્શન
Ram Mandir, Ayodhya
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2023 | 1:15 PM
Share

અયોધ્યામાં બની રહેલા ઐતિહાસિક રામ મંદિરનું નિર્માણ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આગામી વર્ષની શરૂઆતથી લોકો રામ મંદિરમાં રામ લલ્લાના દર્શન કરશે. જેમ જેમ તારીખ નજીક આવી રહી છે તેમ-તેમ રામ મંદિરમાં દર્શન સાથે જોડાયેલી માહિતી પણ મળી રહી છે. રામમંદિર બાંધકામ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ રામ મંદિરને લઈને મહત્વની માહિતી આપતા જણાવ્યું છે કે, ભક્તોને આ મંદિરમાં દર્શન કરવા માટે માત્ર 20 સેકન્ડનો જ સમય મળશે, જ્યારે કોઈપણ વ્યક્તિ 1 કલાક સુધી રામ મંદિર પરિસરમાં રહી શકશે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, નૃપેન્દ્ર મિશ્રાનું કહેવું છે કે, રામ મંદિરનું ગ્રાઉન્ડ ફ્લોરનું કામકાજ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. જાન્યુઆરી 2024માં મંદિરમાં રામ લલ્લાની સ્થાપના કરવામાં આવશે. આ માટે પ્રાણ પ્રતિષ્ઠા થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દરમિયાન હાજર રહેશે અને તેમની પાસેથી સમય પણ માંગવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર મુખ્ય સુરક્ષા જોશે

નૃપેન્દ્ર મિશ્રાનું કહેવું છે કે મંદિરનો બીજો માળ ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે, જ્યારે બાકીના પ્રાંગણનું કામ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થઈ જશે. સુરક્ષાની દૃષ્ટિએ અહીં ઘણું કામ થઈ રહ્યું છે, મંદિરના પહેલા સ્તરની સુરક્ષા રાજ્ય સરકારના હાથમાં હશે, જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ અહીં સતત નજર રાખશે. મંદિરમાં એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે કે 50 હજારથી 10 લાખ ભક્તો એક દિવસમાં એક સાથે આવી શકે.

રામ મંદિરના નિર્માણની તસવીરો સોશિયલ મીડિયા પર સતત દેખાઈ રહી છે અને વાયરલ થઈ રહી છે. ભક્તોમાં ઉત્સુકતા છે કે તેઓ ક્યારે અને કેવી રીતે દર્શન કરી શકશે. નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે મંદિરમાં ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ ભીડ જોઈને ભક્તને સરેરાશ માત્ર 20 સેકન્ડનો સમય મળશે. જ્યારે તે રામલલ્લાના દર્શન કરી શકશે. જ્યાં રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે ત્યાંથી 25 ફૂટના અંતરેથી ભક્તો દર્શન કરી શકશે, જ્યાં લોકો હરોળથી આગળ વધતા રહેશે, અહીં રામલલ્લાના દર્શન થશે.

ભક્તો પરિસરમાં 1 કલાક રોકાઈ શકશે

નૃપેન્દ્ર મિશ્રાએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તમામ પ્રયાસો પછી પણ ભક્તને આટલો જ સમય મળશે, કારણ કે મંદિર પરિસર ઘણો મોટો છે, આવી સ્થિતિમાં પ્રવેશથી લઈને દર્શન સુધી 45 મિનિટનો સમય લાગશે. એટલે કે, એક ભક્ત લગભગ એક કલાક સુધી મંદિરમાં રહેશે, ત્યારબાદ રામ મંદિર પરિસર સિવાય 71 એકર વિસ્તારમાં ફરવા માટેના બાકીના સ્થળો પણ લોકો માટે તૈયાર થઈ જશે. રામ મંદિર સંકુલ એવી રીતે બનાવવામાં આવી રહ્યું છે જેમાં ભગવાન રામની સમગ્ર યાત્રા દર્શાવવામાં આવી છે. આ સાથે યુવાનો માટે પણ અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે રામ મંદિરનો મુદ્દો લાંબા સમયથી કોર્ટમાં હતો, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ 2020માં અહીં નિર્માણ કાર્ય શરૂ થયું હતું. અયોધ્યામાં ઝડપથી કામ ચાલી રહ્યું છે અને આવતા વર્ષની શરૂઆતમાં ભક્તોને રામલલ્લાના દર્શન કરવાનો મોકો મળશે.

રાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
g clip-path="url(#clip0_868_265)">